નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેનનું સ્વપ્ન થોડા જ સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે. અમદાવાદ મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના રૂટનું ભૂમિ પૂજન સપ્ટેમ્બરમાં થવાનું છે. જાપાનના વડાપ્રધાન શિંઝો અબે સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસ પર આવી રહ્યા છે. ત્યારે જ મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું ખાત મુહૂર્તનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
2/4
આ બુલેટ ટ્રેન એટલી ઝડપી દોડશે કે અમદાવાદ-મુંબઈ વચ્ચેનું 508kmનું અંતર માત્ર 2 કલાકમાં પૂરું કરી લેશે. આ ટ્રેનની મહત્તમ ઝડપ 350 કિલોમીટર પ્રતિ કલાકની અને ઓપરેટિંગ ઝડપ 320kmph હશે.
3/4
રેલવે વિભાગને આશા છે કે આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઇ જશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના PM અબેના હસ્થે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરવામાં આવશે.’ આ પ્રોજેક્ટ પાછળ 97,636 કરોડનો ખર્ચ થવાનો છે. જેના માટે 81% લોન જાપાન તરફથી મળવાની છે.
4/4
આ આંકડો ખર્ચમાં વધારો, કામગીરી દરમિયાન લાગનારું વ્યાજ અને ઈમ્પોર્ટ ડ્યુટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સોફ્ટ લોન હશે જેનું વાર્ષિક વ્યાજ 0.1% રહેશે અને આ સાથે 15 વર્ષની દેવા મોકૂફીની મુદ્દત આપવામાં આવશે. આ પ્રોજેક્ટને એક શો-પિસ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે.