કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા શરૂઆતી રાઉન્ડથી પાછળ રહ્યાં જ્યારે કુંવરજીએ શરૂઆતથી જ લીડ બનાવી રાખી હતી. ચોંકવનારી વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને તેમના જ ગામમાંથી ઓછા મળ્યા છે.
2/4
જસદણઃ જસદણ-વિછીંયા વિધાનસભા માટે હાલમાં મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા બન્ને સામ સામે મેદાને છે. મતગણતરી દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે.
3/4
માહિતી પ્રમાણે, કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને પોતાના જ ગામ આસલપુરે સાથ આપ્યો નહીં. આસલપુર ગામમાંથી નાકિયાને 514 મત મળ્યા છે જ્યારે બાવળિયાને 764 મત મળ્યા છે. આથી ગામમાં જ નાકિયાનું વર્ચસ્વ ન હોય તેવું સાબિત થઇ રહ્યું છે. આસલપુરમાંથી બાવળિયાને નાકિયા કરતા 250 મત વધારે મળ્યા છે.
4/4
ઉલ્લેખનીય છે કે, જસદણ-વિછીંયા વિધાનસભાની પેટાચૂંટણીમાં બીજેપી ઉમેદવાર કુંવરજી બાવળિયાની 19 હજારથી પણ વધુ મતોથી જીત થઇ છે.