શોધખોળ કરો
નોટબંધીના વિરોધમાં આજથી કોંગ્રેસના ઠેર-ઠેર કાર્યક્રમો શરૂ, તંત્ર સાબદું
1/4

કોંગ્રેસના આ એલાનના સંદર્ભે તંત્ર પણ સતર્ક થઇ ગયું છે અને એસટી બસ મથકો, રેલવે સ્ટેશનો તથા ધોરી માર્ગો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવા તૈયારીઓ થઇ રહી હોવાનું સૂત્રો જણાવે છે.
2/4

કોંગ્રેસ સહિત વિપક્ષો દ્વારા ૨૮મીના અપાયેલા ભારત બંધના એલાનની પૂર્વે ગુજરાત કોંગ્રેસ દ્વારા આગળના ત્રણ દિવસો માટે પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. કોંગ્રેસ દ્વારા ૨૫મીએ રેલવે બસ રોકો આંદોલનની જાહેરાત કરાઈ છે, ૨૬મીએ બાઈક રેલી તથા ૨૭મીએ ધારાસભ્યો, સાંસદોને ઘેરાવ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગઇકાલે પણ શહેરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં શાકભાજી રસ્તે ફેંકાયા હતા અને નોટબંધીનો ઉગ્ર વિરોધ કરાયો હતો. આ દેખાવો દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર દૃશ્યો પણ જોવા મળ્યા હતા.
Published at : 25 Nov 2016 07:03 AM (IST)
View More





















