શોધખોળ કરો
બિન અનામત વર્ગ માટે સરકારની મહત્વની જાહેરાત, લાભાર્થીની આવક મર્યાદામાં કેટલો કરાયો વધારો, જાણો વિગત
1/3

ગાંધીનગર: ગુજરાતમાં સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે મહત્વની જાહેરાત કરી છે. સરકાર તરફથી નીતિન પટેલે પત્રકાર પરિષદ કરી આ મુદ્દે જાણકારી આપી છે. નીતીન પટેલે કહ્યું કે, બીન અનામત વર્ગ માટે નીગમ બનાવવામાં આવ્યું છે. આ મુદ્દે સરકારે નિર્ણય લીધો છે કે, લાભાર્થીની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા આ આવક મર્યાદા 3 લાખ હતી, જે હવે 4.50 લાખ કરવામાં આવી છે.
2/3

નીતિનભાઈ પટેલે કહ્યું કે, વિદ્શ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીને ઓછા વ્યાજ દરે લોન આપવા માટે પરિવારની આવક મર્યાદા પહેલા 4 લાખ નક્કી કરવામાં આવી હતી, તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવેથી 6 લાખ પરિવારિક આવક મર્યાદા હશે તે વિદ્યાર્થીઓને પણ વિદેશ કે રાજ્ય બહાર અભ્યાસ કરવા માટે ઓછા વ્યાજદરે લોન આપવામાં આવશે.
Published at : 01 Jan 2019 07:32 PM (IST)
View More





















