જેના કારણે આજે પોતાનો રોષ ઠાલવવા માટે તેઓ મતદાન મથક પર ડુંગળીના હાર પહેરીને મતદાન આપવા માટે પહોંચી્યા હતાં. પરંતુ પોલીસે ખેડૂતોને મતદાન કરતા અટકાવ્યા હતા. જેથી ગામના સરપંચ પરેશ રાદડિયા દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.
2/3
‘જય જવાન જય કિસાન’ના નારા લગાવીને ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. છેલ્લા ઘણાં સમયથી ડુંગળીનો યોગ્ય ભાવ મળી રહ્યો ન હોવાથી ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.
3/3
જસદણ: સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે જેના માટે તમામ મતદાન મથકો પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે આજે વિરનગરના કેટલાંક ખેડૂતો મતદાન મથક પર ડુંગળીનો હાર પહેરીને મતદાન આપવા પહોચ્યાં હતા. જ્યાં તેમણે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યાં હતા.