ગાંધીનગરઃ કેન્દ્રની મોદી સરકાર હવે દિલ્હીમાં પોતાનું કદ વધારવા માટે કવાયત કરી રહી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુજરાત કેડરના વધુ બે IAS અધિકારીઓને કેન્દ્રમાં લઇ ગઇ છે. ગુજરાત કેડરના સીનયર કક્ષાના IAS અધિકારીઓ અનિલ મુકિમ અને બી.બી. સ્વૈનની કેન્દ્ર સરકારમાં નિમણૂંકો થઇ છે.
2/4
3/4
જ્યારે બીજા IAS તરીકે રાજ્યમાં ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા 1988 બેચના બી બી સ્વૈન કેન્દ્રીય વાણિજ્ય વિભાગમાં એડિશનલ સેક્રેટરી પદે નિમાયા છે. આ બન્ને અધિકારીઓ છેલ્લા બે-ત્રણ મહિનાથી કેન્દ્રમાં નિમણૂંકની રાહ જોઇ રહ્યાં હતા.
4/4
રાજ્યના નાણાં વિભાગમાં અધિક મુખ્ય સચિવના દરજ્જે ફરજ બજાવતા 1985 બેચના અનિલ મુકિમની કેન્દ્રમાં ખાણ વિભાગના સેક્રેટરી તરીકે ફરજ સોંપવામાં આવી છે.