શોધખોળ કરો
3 દિવસ પહેલાં જ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તરીકે નિમાયેલા કયા નેતા સામે શરૂ થયો વિરોધ, જાણો વિગત
1/5

ત્યારબાદ શિસ્ત સમિતિએ તેમનો ખુલાસો સાંભળ્યા પછી પગલાં ભરવાની ભલામણ કરી હોવા છતાં તેમને જિલ્લા પ્રમુખ બનાવાતા કાર્યકરોમાં નારજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હંમેશા કાર્યકરોને પ્રાધાન્ય આપવાની વાત કરી છે ત્યારે આ પ્રકારના નિર્ણયો કાર્યકરોમાં રોષ ઉભો કરે છે જેની અસર કોંગ્રેસે ચૂંટણીઓમાં ભોગવવી પડતી હોય છે. તેવી સ્થિતિ હાલ ફરી ઉભી થઇ છે.
2/5

મહત્વની વાત તો એ છે કે ભરતસિંહ સોલંકીએ જે વ્યકિત સામે પગલાં ભરવા તૈયારી કરી હતી તે વ્યકિતને અમિત ચાવડાએ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. કોંગ્રેસમાં સ્થાનિક નેતાઓની અવગણના નવી નથી પરંતુ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને પદ આપવાથી કાર્યકરોમાં નારાજગી ઉભી થવી સામાન્ય છે. તેવા સંજોગોમાં આ મુદ્દે વધુ ગરમાય તો નવાઇ નહિ.
Published at : 20 Aug 2018 07:47 PM (IST)
View More





















