શોધખોળ કરો
મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, PM બન્યા બાદ સાતમી યાત્રા, કાલે 67માં જન્મદિવસે માતા હીરાબાના આશીર્વાદ લેશે
1/5

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે રાજ્યમાં યોજનારા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા તેમજ માતાના આશીર્વાદ લેવા 16 સપ્ટેમ્બરે સાંજે અમદાવાદ આવી રહ્યા છે. તેમના આગમન સમયે એરપોર્ટ પર કોઈ સમાજ કે સંસ્થા દ્વારા દેખાવો કે પ્રદર્શન ન થાય તેની તકેદારી રાખવાની સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એરપોર્ટ પર વિવિધ સુરક્ષા એજન્સીઓની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાતે લગભગ 9 વાગે એરફોર્સના ખાસ વિમાનમાં અમદાવાદ આવી પહોંચશે. તેમના સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો તેમજ ભાજપના તમામ પ્રદેશ હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહેશે. મોદીના આગમન પહેલા એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એસપીજી, રો, આઈબી, સ્થાનિક પોલીસ સહિત સેનાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
2/5

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મીએ રાત્રે રાજભવન આવવાના છે.ત્યારે શહેરના 500 કાર્યકરો તેમના સ્વાગત માટે એરપોર્ટ જશે.17મીએ રાયસણમાં વૃંદાવન બંગલોઝમાં તેમના માતાનાં આશીર્વાદ લેવા જવાના છે. ત્યારે કોબાથી રાયસણ અને રાજભવન જવા સહિતના તમામ માર્ગની સફાઇ કરી દેવાઇ છે. આ સમગ્ર રોડ પરથી લારી-ગલ્લા સહિતના દબાણ હટાવી દેવાયા છે. રખડતાં ઢોરને પકડીને કે ખદેડીને દુર મોકલી દેવાયા છે. ઉપરાંત વિશેષરૂપે તો વિશાળ ખુલ્લા પ્લોટ્સમાં ઉગી નીકળેલા વરસાદી ઘાસ કાપવા માટે પણ જેસીબી કામે લગાડાયા છે. હિરાબા જ્યા રહે છે. તે વૃંદાવન બંગલોઝ સહિત આસપાસના તમામ વિસ્તારને સુરક્ષાના દાયરામાં લઇ લેવાયા છે અને માર્ગોની બન્ને બાજુઓને પણ સ્વચ્છ કરવા સાથે વરસાદી ગાબડાં પુરી દેવાયા છે.મહાનગર પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે કહ્યું કે વડાપ્રધાનના જન્મ દિવસ સંબંધે સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રૂટનું વિતરણ તથા સેક્ટર 30ની ઝૂંપડપટ્ટીમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાશે.
Published at : 16 Sep 2016 07:20 AM (IST)
View More





















