શોધખોળ કરો
ભાજપનાં સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાની તબિયત લથડતા હોસ્પિટલાઈઝ્ડ કરાયા
1/3

સૌરાષ્ટ્રના પટેલ સમાજના અડીખમ અને અણનમ નેતા તરીકે વિઠ્ઠલ રાદડિયાની ગણના થાય છે. ભાજપમાં હોય કે કોંગ્રેસમાં, તેમને પરાજીત કરવા અસક્ય હોવાનું સાબીત થયું છે. દેખીતી રીતે જ તેમને કેન્સર હોવાનું ખુલતાં સમર્થકોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી પરંતુ હવે સૌએ રાહત અનુભવી છે.
2/3

મળતી વિગતો અનુસાર ત્રણ દિવસ પહેલા વિઠ્ઠલભાઈને પગમાં ખાલી ચડી જતા તેમને શહેરમાં આવેલી ડો. કોટડિયાની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પગમાં તકલીફ થયાના સમાચાર વાયુવેગે ફેલાતા જેતપુર ધોરાજીના ભાજપના કાર્યકરો અને રાદડિયાના સ્વજનોએ હોસ્પિટલ દોડી જઈ તેમના ખબરઅંતર પૂછ્યા હતા. બાદમાં તેમને અમદાવાદ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ ડાયાબિટીસનો સામનો કરી રહ્યા છે.
Published at : 15 Oct 2017 02:53 PM (IST)
Tags :
Viththal RadadiyaView More























