શોધખોળ કરો
શંકરસિંહ પાછા કોંગ્રેસમાં જોડાઈ જશે? બાપુનાં ક્યાં નિવેદનોને કારણે આ અટકળો બની તેજ? જાણો વિગત
1/7

ગાંધીનગરઃ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ શનિવારે અચાનક ભાજપનો ખેસ ધારણ કરી લીધો તે સામે શંકરસિંહ વાઘેલાએ પોતે નારાજ હોવાની જાહેરાત કરી છે. વાઘેલાએ એમ પણ જણાવ્યું કે, જરૂર પડે તો તેઓ મહેન્દ્રસિંહની વિરુદ્ધ ચૂંટણી પ્રચાર પણ કરી શકે છે.
2/7

આગામી ઓગસ્ટમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ તરફી વલણ જાહેર કરે તેવી સંભાવના પણ કેટલાક લોકોએ વ્યક્ત કરી છે. શંકરસિંહે પોતાના પુત્ર મહેન્દ્રને ભાજપ લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારે તો તેની સામે પ્રચાર કરવાની જાહેરાત કરી છે તેના પરથી તે કોંગ્રેસ તરફ ઢળી રહ્યા હોવાની અટકળો તેજ બની છે.
Published at : 15 Jul 2018 12:37 PM (IST)
Tags :
ShankarSinh VaghelaView More





















