અલ્લાહબાદઃ અખિલ ભારતીય અખાડા પરિષદની શુક્રવારે થયેલી બેઠકમાં ઢોંગી બાબાઓનું બીજુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં દિલ્હીનાં વીરેન્દ્ર દીક્ષિત કાલનેમી, બસ્તીનાં સચિદાનંદ સરસ્વતી અને ઇલાહાબાદની ત્રિકાલ ભવંતાનું નામ સામેલ છે. પરિષદનાં અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં તમામ 13 અખાડાઓનાં પ્રમુખ હાજર હતાં.
2/3
અખિલ પરિષદના અધ્યક્ષ સ્વામી નરેન્દ્ર ગિરિએ કહ્યું કે, ‘અમે લોકોને અપિલ કરીએ છીએ કે તેઓ આવા ઢોંગી બાબાથી સર્તર્ક રહો, ઢોંગી બાબાઓની કોઈ પરંપરા કે સંપ્રદાય નથી.
3/3
આ પહેલા 10મી સપ્ટેમ્બરે અખિલ ભારતીય અખાડા પરિષદે ઢોંગી બાબાઓનું પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમા 14 નામ સામેલ હતાં. જે લિસ્ટમાં આશારામ બાપુ, ગૂરમીત રામ રહિમ, સુખવિંદર કૌર ઉર્ફે રાધે માં, સચ્ચિદાનંદ ગિરિ, ઓમબાબા ઉર્ફે વિવેકાનંદ ઝા, નિર્મલ બાબા, ઇચ્છાધારી ભીમાનંદ ઉર્ફે શિવમૂર્તિ દ્વિવેદી, સ્વામી અસીમાનંદ, ઓમ નમ: શિવાય બાબા, નારાયણ સાંઇ,રામપાલ, કુશ મુનિ, મલખાન ગિરિ અને બૃહસ્પતિ ગિરિનાં નામ સામેલ હતાં.