શોધખોળ કરો
UPમાં વધુ એક ટ્રેન અકસ્માતઃ ડમ્પર સાથે ટકરાઈ કૈફિયત એક્સપ્રેસ, 10 ડબ્બા ખડી પડ્યા
1/3

જણાવીએ કે, શનિવારે પુરીથી હરિદ્વાર જતી ઉત્કલ એક્સપ્રેસ મુઝફ્ફરનગરની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ત્યાર બાદ રેલવેમંત્રી સુરેશ પ્રભુ પર વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતા અને બેદરકારીનો આરોપ લગાવતા તેમના રાજીનામાની માગ કરી હતી. આ દુર્ઘટનામાં અંદાજે 22 લોકો માર્યા ગયા હતા.
2/3

અલાહબાદ અને કાનપુરથી રિલીફ ટ્રેન ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. મળતી જાણકારી અનુસાર એન્જિન, પાવર કારની સાથે 4 જનરલ કોચ, B2, H1, A2, A1 અને S1 કોચ પાટા પરથી ખડી પડ્યા છે. રેલવેમંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે, કેટલાક પ્રવાસી આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત બચાવના કામ માટે એનડીઆરએફની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
Published at : 23 Aug 2017 07:25 AM (IST)
Tags :
Train AccidentView More























