શોધખોળ કરો
મહારાષ્ટ્ર: ગામલોકોએ બાળક ચોર સમજી ઢોર માર મારતા 5ના મોત, 10ની ધરપકડ
1/3

ધુલેઃ મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક ગામના લોકોએ પાંચ લોકોને મારી મારીને તેમની હત્યા કરી દીધી. વાસ્તવમાં ગામના લોકોને શંકા હતી કે તેઓ મૃત બાળકને ચોરી કરીને લઈ જઈ રહ્યા છે. આ ઘટના ધુલે જિલ્લાના સાકરી તાલુકાના રાઇનપાડા ગામની છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી મચી ગઈ છે. આ મામલે પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે.
2/3

પાંચ લોકોની હત્યાની પુષ્ટિ ધુલેના એસપી એમ. રામકુમારે કરી છે. તેમણે કહ્યું છે કે, ગામના લોકોએ પાંચ લોકોને બાળક ચોર સમજીને એટલી ખરાબ રીતે માર્યા કે તેમનાં મોત થઈ ગયાં. ગ્રામીણોએ બાળકોની ચોરીની શંકામાં જે પાંચ લોકોની હત્યા કરી છે, તેમાંથી એક મૃતક સોલાપુર જિલ્લાના મંગલવેધા વિસ્તારનો રહેવાસી હતો.
Published at : 01 Jul 2018 09:36 PM (IST)
Tags :
MaharashtraView More





















