શોધખોળ કરો
વિરોધ વચ્ચે 'પદ્માવત' રિલીઝ, મુંબઇમાં કરણી સેનાના 100થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ
1/7

મુંબઇમાં ફિલ્મનો વિરોધ કરી રહેલા કરણી સેનાના 100થી વધુ કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશન અને ગોવાના થિએટર્સ માલિકોએ ના દર્શાવવાનો નિર્ણય કર્યો છે. કરણી સેના અને રાજપૂત સંગઠનો દ્વારા દેશભરમાં જુદા જુદા શહેરોમાં હાલ જબરદસ્ત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે.
2/7

મુંબઇઃ સંજયા લીલા ભંસાળીની ફિલ્મ પદ્માવત તમામ વિરોધો અને પ્રદર્શનની વચ્ચે આજે દેશભરના થિએટર્સમાં રિલીઝ થઇ રહી છે, હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાની સાથે આ ફિલ્મ દેશભરની 7000 સ્ક્રીનો પર રિલીઝ થઇ રહી છે. ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ આજે દેશવ્યાપી બંધનુ એલાન આપ્યું છે. વિરોધને લઇને ચાર રાજ્યોમાં સ્ક્રીનિંગ નથી થયું.
Published at : 25 Jan 2018 09:24 AM (IST)
View More























