ચંદીગઢ: એક્ટ્રેસ રાખી સાવંતે ધાર્મિક લાગણી દુભાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે આજે રાખીની મુંબઈમાં ધરપકડ કરી હતી.
2/3
રાખીએ આ ટિપ્પણી લગભગ દોઢ વર્ષ પહેલા કરી હતી. પછી સોશિયલ મીડિયા પર રાખીએ પોતાની ટિપ્પણી અંગે માફી માગતો વીડિયો પણ શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પંજાબ પોલીસ પાસે બિનજામીનપાત્ર વોરંટ છે.
3/3
રાખી પર આરોપ છે કે એક ટીવી કાર્યક્રમમાં તેણે ગ્રંથ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી અંગે આપત્તિજનક ટિપ્પણી કરી હતી.