શોધખોળ કરો
રાહુલ ગાંધીએ જાહેર કરી પોતાની નવી ટીમ, જાણો કોનાં કોનાં કપાયાં પત્તાં?
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 18 Jul 2018 02:38 PM (IST)
1/8

નવી દિલ્હી: કોંગ્રેસ હવે લોકસભાની તૈયારીઓમાં લાગી ગયુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના કરી છે. નવી ટીમમાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
2/8

આ કમિટીમાં ખાસ કરીને યુવા અને અનુભવી વરિષ્ઠ નેતાઓની આ નવી કાર્યસમિતિમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, તરૂણ ગોગોઇ અને સિદ્ધારમૈયાને પણ શામેલ કરવામાં આવેલ છે. જયારે જનાર્દન દ્રિવેદી, દિગ્વિજય સિંહ, અકિલા કમલનાથ, સુશીલ શિંદે, મોહન પ્રકાશ, કર્ણ સિંહ અને સીપી જોશીની છુટ્ટી કરી દેવાઈ છે.
3/8

સીડબલ્યૂસી પાર્ટીનાં દરેક પ્રમુખ મુદ્દાઓ પર સલાહકાર સમિતિ તરીકે કામ કરે છે. માર્ચમાં પૂર્ણ અધિવેશન હોવાં બાદ જ કાર્યસમિતિ અસ્તિત્વમાં નથી. નીતિ નિર્ધારકમાં એકે એન્ટની, અહમદ પટેલ, અંબિકા સોની, મોતીલાલ વોરા, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા અને કુમારી શૈલજા હશે જયારે પૂર્વ મુખ્યમંત્રી પણ કાર્યસમિતિમાં છે જેમાં અશોક ગેહલોત, ઓમાન ચાંડી, તરૂણ ગોગોઇ, સિદ્ધારમૈયા અને હરીશ રાવત. હરીશ રાવતને અસમ મામલાનાં પ્રભારી મહાસચિવ પણ બનાવવામાં આવેલ છે.
4/8

બીજી બાજુ પાર્ટીનાં પાંચ મુખ્ય સંગઠનો- ઇનટક, સેવા દળ, યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને એનએસયૂઆઇનાં પ્રમુખ વિશેષ આમંત્રિત સભ્ય હશે. કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યાં બાદ રાહુલે પ્રથમ વાર સીડબલ્યૂસીનું ગઠન કરેલ છે.
5/8

સીડબલ્યૂસીની પહેલી બેઠક 22 જુલાઇનાં રોજ થશે. પાર્ટી મહાસચિવ અશોક ગેહલોતે સભ્યોની યાદી જાહેર કરતા જણાવ્યું કે, કાર્યસમિતિમાં 23 સભ્યો છે કે જેમાં 19 સ્થાયી જ્યારે 9 વિશેષ આમંત્રિત સભ્યોને જગ્યા મળી છે. જુદાજુદા રાજ્યોમાં નિયુક્ત સ્વતંત્ર પ્રભારી સ્થાયી આમંત્રિત સભ્યો હશે અને કાર્યસમિતિનાં પદનાં સભ્ય હશે.
6/8

કાર્ય સમિતિનાં સ્થાયી આમંત્રિત સભ્યોમાં દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત, પી. ચિદમ્બરમ, જ્યોતિરાદિત્ય સિંધિયા, રણદીપ સુરજેવાલા, બાલાસાહેબ થોરાટ, તારિક હમીદ કારા અને પીસી ચાકો પણ શામેલ છે. વિભિન્ન રાજ્યોનાં પ્રભારી મહાસચિવ તરીકે જિતેન્દ્ર સિંહ, આરપીએન સિંહ, પીએલ પૂનિયા, આશા કુમારી, રજની પાટિલ, રામચંદ્ર ખૂંટિયા, અનુગ્રહ નારાયણ સિંહ, રાજીવ એસ. સાટવ, શક્તિસિંહ ગોહિલ, ગૌરવ ગોગોઇ અને એ. ચેલા કુમાર સમિતિનાં સ્થાયી સભ્ય બનાવવામાં આવેલ છે. જો કે તેઓને સમિતિનાં પદનાં સભ્ય બનાવવામાં આવેલ છે. વિશેષ આમંત્રિત સભ્યમાં કેએચ મુનિયપ્પા, અરૂણ યાદવ, દીપેન્દર હુડ્ડા, જતિન પ્રસાદ, કુલદીપ બિશ્નોઇનો સમાવેશ કર્યો છે .
7/8

પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ, હરિયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડા, હિમાચલનાં પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અને પાર્ટીનાં વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદે, કમલનાથ, મોહન પ્રકાશ, ઓસ્કર ફર્નાન્ડીઝ તથા મોહસિના કિદવઇને કાર્યસમિતિથી બહાર રાખવામાં આવ્યાં છે. હુડ્ડાનાં દીકરા દીપેંદર સિંહને પણ વિશેષ આમંત્રિત સભ્ય બનાવવામાં આવેલ છે. નવા ચહેરામાં મુકુલ વાસનિક, અવિનાશ પાંડે, કે.સી વેણુગોપાલ, દીપક બાબરિયા, તમરાધ્વજ સાહુ, ગૈખંગમ અને અશોક ગેહલોતને શામેલ કરવામાં આવેલ છે.
8/8

આ કમિટીમાં ગુજરાતમાંથી અહમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ, દિપક બાબરિયા અને લાલજી દેસાઈને સ્થાન આપવામાં આવ્યં છે. કૉંગ્રેસ વર્કિંગ કમિટીમાં 23 સભ્યો, 19 સ્થાયી આમંત્રિત સભ્યો અને 9 આમંત્રિત સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે.
Published at : 18 Jul 2018 11:29 AM (IST)
Tags :
Rahul GandhiSponsored Links by Taboola
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાત
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરત
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
ટ્રેન્ડિંગ સમાચાર






















