સુરતઃ ગુજરાત કેડરના રાકેશ અસ્થાનાની CBIમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ દેશના 8 IPS ઓફિસરના પ્રમોશનને મંજૂરી આપી દીધી છે. જેમાં ગુજરાત કેડરના એડિશનલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને CBIમાં સ્પેશિયલ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.
2/5
ઉલ્લેખનીય છે કે, સીબીઆઈના ડિરેક્ટર પદેથી આજે નિવૃત્ત થયેલા અનિલ સિન્હાની જગ્યાએ આ તપાસ એજન્સીમાં એડિશનલ ડિરેક્ટરનો હોદ્દો ધરાવતા ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાએ ઈન્ચાર્જ-ચીફ તરીકે મુકાયા હતા. કેન્દ્ર સરકારે સીબીઆઈમાં કોઈ ફૂલ-ટાઈમ વડાની નિમણૂક કરી નથી.
3/5
અનિલ સિન્હાના અનુગામી બનવા માટે સ્પેશિયલ ડિરેક્ટર આર.કે. દત્તાનું નામ ચર્ચામાં હતું, પણ સરકારે એમને ગૃહ મંત્રાલયમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકે શિફ્ટ કર્યા છે. ગૃહ મંત્રાલયમાં આ હોદ્દો પહેલી જ વાર રચવામાં આવ્યો છે. 10 વર્ષમાં આ પહેલી જ વાર બન્યું છે કે સરકારે સીબીઆઈના વડાના અનુગામી તરીકે નવા અધિકારીનું નામ ઘોષિત કર્યું નથી. અનિલ સિન્હાની બે વર્ષની મુદત આજે પૂરી થઈ છે.
4/5
રાકેશ અસ્થાના 1984 બેચના આઈપીએસ અધિકારી છે. અગસ્તા વેસ્ટલેન્ડ સોદા, લાલુપ્રસાદ યાદવના ઘાસચારા કૌભાંડ અને વિજય માલ્યા લોન ડિફોલ્ટ કેસોની તપાસ રાકેશ અસ્થાનાનાં હાથમાં છે. આસારામ બાપુ અને એમના પુત્ર નારાયણને સંડોવતા બળાત્કારના કેસ વખતે અસ્થાના સુરતના પોલીસ કમિશનર હતા.
5/5
સીબીઆઈ એજન્સીના વડાની પસંદગી એક સમૂહ દ્વારા કરવામાં આવે છે જેમાં વડાપ્રધાન, લોકસભામાં વિરોધપક્ષમાં સૌથી મોટા પક્ષના નેતા અને ભારતના ચીફ જસ્ટિસનો સમાવેશ થાય છે.