શોધખોળ કરો
સર્જિકલ સ્ટ્રાઈકને લઈને વિદેશ સચિવે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
1/3

નવી દિલ્હીઃ મોદી સરકારે ખુલાસો કર્યો છે કે, સેનાએ આ પહેલા પણ સર્જિકલ ઓપરેશન કર્યા છે પરંતુ જે રીતે આ વખતે થયું છે તેવું પહેલા ક્યારેય થયું નથી. વિદેશ સચિવ એસ જયશંકરે એક કાયમી સંસદીય સમિતિને જણાવ્યું કે, મોટો તફાવત એ પણ છે કે પહેલા આવા ઓપરેશનને સાર્વજનિક કરવામાં આવ્યા નથી. કાયમી સમિતિની બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા પરંતુ તેમણે કોઈ સવાલ પૂછ્યો ન હતો. સંસદીય સમિતિને અપાયેલી આ માહિતી સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે કરેલા દાવાથી સાવ અલગ અને વિપરિત હોવાને કારણે આગામી દિવસોમાં સરકાર પર વિપક્ષો હાવી થઈ જાય તેમ છે.
2/3

એકદમ પ્રોફેશનલી, ટાર્ગેટ સ્પેસિફિક અને મર્યાદિત કહી શકાય તેવું આતંકવાદ વિરોધી ઓપરેશન ભૂતકાળમાં પણ એલઓસીની પેલે પાર પાડવામાં આવ્યું છે, પરંતુ, આ વખતે પહેલી વાર કેન્દ્ર સરકારે તેની જાહેરાત કરી છે,’તેમ સંસદીય સમિતિની મિટિંગમાં હાજર રહેલાં સૂત્રોએ જણાવ્યું હતું.
Published at : 19 Oct 2016 07:41 AM (IST)
View More




















