શોધખોળ કરો
Advertisement
Health Tips: ચહેરાને કરચલીઓથી દૂર રાખતા આંબળા, સૌદર્ય અને સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર
આંબળાનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આબળામાં મોજૂદ એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટરિયલ અને એન્ટી ઇમ્ફલેમેટરી ગુણ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે, આબળા કયા રોગમાં રામબાણ ઇલાજ છે જાણીએ..
હેલ્થ: વિટામિન સીથી ભરપૂર આંબળા શરીર માટે એક વરદાન સમાન છે. બજારમાં ઉપલબ્ધ કેટલાક બ્યુટી પ્રોડક્ટમાં આંબળાનો ઉપયોગ કરાઇ છે. આંબળા સ્કિન અને હેર બંનેના સ્વાસ્થ્ય અને સુંદરતા માટે કારગર પ્રયોગ છે. લિવરની સમસ્યાથી પીડિત લોકો માટે પણ આંબળા ઉત્તમ છે. આંબળા લિવરને ફિટ રાખે છે.
આંબળામાં વિટામિન-એ, ફાઇબર, ફોસ્ફરસ, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ અને આયર્ન ભરપૂર માત્રામાં છે. જેના કારણે તે વાળને મજબૂત બનાવે છે. આંબળાના નિયમિત સેવનથી ચહેરા પર કરચલીઓ આવતી નથી. આને કારણે, આમળા આપણી વધતી ઉંમરની અસરને ઓછી કરવામાં કારગર છે.
આંબળાના ફાયદા
- આંબળાના સેવનથી આંખની રોશની વધે છે.
- આંબળાના સેવનથી હાંડકાની મજબૂતી વધે છે
- આંબળા લેવાથી સ્કિન પર કરચલીઓ નથી પડતી
- આંબળા ઇમ્યુનિટિ બૂસ્ટ કરે છે
- કફજન્ય રોગોથી આંબળાથી મુક્તિ મળે છે
- વાળ સંબંધિત તમામ સમસ્યામાં આંબળા વરદાન સમાન છે
- લિવર સંબંધિત બીમારીમાં ઔષધ સમાન છે આંબળા
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion