શોધખોળ કરો

ડાયાબિટીસના દર્દીઓ માટે કેરી ખાવી કેટલી સુરક્ષિત? જાણો હેલ્થ એક્સપર્ટની સાચી સલાહ

જો તમને ડાયાબિટીસ છે અને કેરી ખાવાનો શોખ છે, તો ખાતા પહેલા આ ખાસ વાતો જાણી લેજો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ડાયાબિટીસના દર્દીઓ કેરીને સમજદારીપૂર્વક ખાઈ શકે છે.
  • કેરી બદામ, બીજ અથવા દહીં સાથે ખાવાથી ફાયદો.
  • કેરીની માત્રા અને સમયનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી.
  • શરીરને સમજીને, યોગ્ય માત્રામાં કેરીનો આનંદ માણો.

diabetics eating mango: ઉનાળો આવે એટલે કેરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે કેરી ખાવી એ કોઈ મૂંઝવણથી કમ નથી હોતું. મોટાભાગના દર્દીઓ શુગર લેવલ વધી જવાના ડરથી પોતાનું આ મનપસંદ ફળ ખાવાનું ટાળતા હોય છે. પરંતુ શું ખરેખર ડાયાબિટીસમાં કેરીથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ? જો તમને પણ આ પ્રશ્ન સતાવતો હોય, તો હેલ્થ એક્સપર્ટ લ્યુક કુટિન્હોએ આ અંગે બહુ જ સરસ માહિતી આપી છે. તેમનું કહેવું છે કે જો કેરીને યોગ્ય રીતે, સાચી વસ્તુઓ સાથે અને સાચા સમયે ખાવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓ પણ તેનો સ્વાદ માણી શકે છે. ચાલો જાણીએ આ અંગે એક્સપર્ટ શું કહે છે.

એક્સપર્ટ શું કહે છે?

જાણીતા લાઈફસ્ટાઈલ એક્સપર્ટ લ્યુક કુટિન્હોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા જણાવ્યું છે કે, કેરીથી ડરવાની કોઈ જરૂર નથી, બસ તેને સમજદારીપૂર્વક ખાતા આવડવું જોઈએ. જો તમારું શુગર લેવલ પહેલાથી જ કંટ્રોલમાં ન હોય અથવા તો તમે રાત્રે ખૂબ વધારે કેરી ખાતા હોવ, તો તે ચોક્કસ નુકસાન કરી શકે છે. પરંતુ જો તમે સંતુલન જાળવી રાખો છો, તો કેરીને સાવ છોડી દેવાની કોઈ જરૂર નથી.

કેરીમાં કુદરતી ખાંડ (Natural Sugar) વધુ હોય છે, પણ સાથે જ તેમાં ઘણા બધા પોષક તત્વો પણ રહેલા છે. સૌથી અગત્યની વાત એ છે કે, કેરીમાં 'મેંગીફેરિન' (Mangiferin) નામનું કમ્પાઉન્ડ હોય છે, જેમાં એન્ટી-ડાયાબિટીક ગુણો રહેલા છે. એટલે જો તેને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે શરીરને નુકસાન પહોંચાડવાને બદલે ફાયદો પણ કરી શકે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Luke Coutinho - Official (@luke_coutinho)

કેરી ખાતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

શેની સાથે ખાવી: લ્યુક કુટિન્હોની સલાહ છે કે કેરીને ક્યારેય એકલી ન ખાવી જોઈએ. તેને હંમેશા બદામ, બીજ (Seeds) અથવા દહીં સાથે મિક્સ કરીને ખાવી જોઈએ. આવું કરવાથી શરીરમાં શુગર લેવલ એકદમથી નથી વધતું અને ગ્લુકોઝ ધીમે ધીમે રિલીઝ થાય છે, જેનાથી કેરી ખાવી સુરક્ષિત બની જાય છે.

સમય અને માત્રા: બીજી સૌથી મોટી વાત એ છે કે તમારે કેરીની માત્રા અને સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે. એકસાથે વધારે પડતી કેરી ન ખાવી જોઈએ. થોડી માત્રામાં ખાઓ અને જો તમને લાગે કે શુગર વધી રહ્યું છે, તો માત્રા સાવ ઓછી કરી દો. મોડી રાત્રે કેરી ખાવાનું બિલકુલ ટાળવું જોઈએ, કારણ કે તે સમયે આપણા શરીરની પાચન પ્રક્રિયા ધીમી પડી ગઈ હોય છે.

જો શુગર લેવલ વધે તો શું કરવું?

એ સમજવું ખૂબ જરૂરી છે કે દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપતું હોય છે. તેથી, તમારા શરીરને સમજો અને તે મુજબ નિર્ણય લો. જો કેરી ખાધા પછી તમારું શુગર લેવલ વધી જતું હોય, તો તેના પર કંટ્રોલ કરવો જ શ્રેષ્ઠ છે. ડાયાબિટીસમાં કેરી ખાવા પર કોઈ સંપૂર્ણ પ્રતિબંધ નથી, પણ તેમાં બેદરકારી બિલકુલ ન ચાલે. યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે તમે આ ફળનો આનંદ માણી શકો છો.

(ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય સંશોધન અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. તેને કોઈપણ મેડિકલ સલાહનો વિકલ્પ ન ગણવો. ડાયેટમાં કોઈપણ મોટો ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા હેલ્થ એક્સપર્ટની સલાહ ચોક્કસ લેવી.)

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે છે?

હા, ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે છે, પરંતુ તેને યોગ્ય રીતે, સાચી વસ્તુઓ સાથે અને સાચા સમયે ખાવામાં આવે તો.

કેરી સાથે શું ખાવું જોઈએ?

કેરીને ક્યારેય એકલી ન ખાવી જોઈએ. તેને હંમેશા બદામ, બીજ અથવા દહીં સાથે મિક્સ કરીને ખાવી જોઈએ.

કેરી ખાવા માટે કયો સમય યોગ્ય છે?

કેરી મોડી રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં ખાવી શ્રેષ્ઠ છે.

કેરીમાં એવો કયો ગુણ છે જે ડાયાબિટીસમાં ફાયદાકારક છે?

કેરીમાં 'મેંગીફેરિન' નામનું કમ્પાઉન્ડ હોય છે, જેમાં એન્ટી-ડાયાબિટીક ગુણો રહેલા છે, જે શરીરને ફાયદો કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget