![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health: આ વનસ્પતિના પાન ખાલી પેટ ખાવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા, જાણો કોના માટે છે નુકસાનકારક
મીઠા લીમડાના પાન તેમના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો માટે જાણીતા છે, જે શરીરમાં ઓક્સિડેટીવ તણાવ સાથે વ્યવહાર કરવામાં મદદ કરે છે
![Health: આ વનસ્પતિના પાન ખાલી પેટ ખાવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા, જાણો કોના માટે છે નુકસાનકારક consuming curry leaves daily here are its pros and cons Health: આ વનસ્પતિના પાન ખાલી પેટ ખાવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા, જાણો કોના માટે છે નુકસાનકારક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/04/5832ed34bb47dfa1a04e4362d2f5629b170170847246781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Health:ઉત્તર ભારતના ભોજન કરતાં દક્ષિણ ભારતના ભોજનમાં મીઠા લીમડાના પાનનો વધુ ઉપયોગ થાય છે. ખાવાનો સ્વાદ વધારવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પોષક તત્વોથી ભરપૂર કરી પત્તા રોજ ખાવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. 'ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ' માં પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ, લીમડાના પાંદડાનો ઉપયોગ વિશ્વભરમાં આયુર્વેદિક દવાઓમાં વ્યાપકપણે થાય છે. કારણ કે તેના એન્ટીઑકિસડન્ટ, એન્ટિડાયાબિટીક, સોજા વિરોધી અને ટ્યુમર વિરોધી ગુણધર્મો છે. રોજ મીઠા લીમડાના પાન ખાવાના ઘણા ફાયદા છે.
પોષક તત્વોથી ભરપૂર
લીમડાના પાંદડામાં પોષક શક્તિ છે, જેમાં વિટામીન A, B, C અને E તેમજ આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજો હોય છે.
એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો
મીઠા લીમડાના પાન તેમના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો માટે જાણીતા છે, જે શરીરમાં ઓક્સિડેટીવ તણાવ સાથે વ્યવહાર કરવામાં મદદ કરે છે. એન્ટિઓક્સિડન્ટ્સ કોષોને ફ્રી રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પાચનને દુરસ્ત કરે છે
મીઠા લીમડાના પાન પાચનમાં મદદ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આમાં હળવા રેચક ગુણધર્મો છે અને તે અપચો અને ઉબકાના લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે.
બ્લડ સુગર લેવલ
મીઠા લીમડાના પાન લોહીમાં શર્કરાના સ્તર પર પણ સકારાત્મક અસર કરી શકે છે. નિયમિત વપરાશ બ્લડ સુગર લેવેલને નિયંત્રિત કરે છે. જે તેમને ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ માટે સંભવિત રીતે ફાયદાકારક બનાવે છે.
વાળ અને ત્વચા માટે ફાયદાકારક
મીઠા લીમડાના પાંદડા વાળના સ્વાસ્થ્ય માટે પણ રામબાણ ઇલાજ છે. જે વાળને અકાળે સફેદ થતા અટકાવે છે. તેમાં એવા સંયોજનો પણ હોય છે જે ત્વચાને લાભ આપી શકે છે, જે ત્વચાની વિવિધ સ્થિતિઓ માટે કુદરતી સારવાર પૂરી પાડે છે.
કેટલાક લોકોને મીઠા લીમડા કરીના પાંદડાથી નુકસાન થઈ શકે છે,
સગર્ભા સ્ત્રીઓ અથવા સ્તનપાન કરાવતી મહિલાઓ મીઠા લીમડાના પાન ન ખાવા જોઈએ.
જે લોકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે તેઓ કરી પત્તા ન ખાવા જોઇએ. ખાવાથી ત્વચા પર એલર્જી જેવી કે ખંજવાળ જેવી અનેક સમસ્યા થઇ શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)