શોધખોળ કરો

Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન

Health Tips: શ્વાસ સંબંધી ગંભીર બિમારી જેમાં અસ્થમા, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD), પલ્મોનરી ફાઇબ્રોસિસ, ન્યુમોનિયા અને ફેફસાના કેન્સરનો સમાવેશ થાય છે.

Health Tips: શ્વસન સંબંધી રોગ ફેફસાં અને શ્વસનતંત્રના અન્ય ભાગોને અસર કરે છે. શ્વસન સંબંધી રોગ ચેપ, તમાકુના સેવન,ધુમ્રપાન અથવા સેકન્ડહેન્ડ તમાકુના ધુમાડા, રેડોન, એસ્બેસ્ટોસ અથવા હવાના પ્રદૂષણના અન્ય સ્વરૂપોમાં શ્વાસ લેવાથી થઈ શકે છે. શ્વાસ સંબંધી રોગોમાં અસ્થમા, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD), પલ્મોનરી ફાઈબ્રોસિસ, ન્યુમોનિયા અને ફેફસાના કેન્સરનો સમાવેશ થાય છે.

તેને લંગ ડિસઓર્ડર અને પલ્મોનરી ડિસીઝ પણ કહેવામાં આવે છે. શ્વાસને લગતા રોગના જોખમમાં વધારો કરતા પરિબળોમાં તમાકુનું ધૂમ્રપાન (સેકન્ડ હેન્ડ સ્મોક સહિત), વાયુ પ્રદૂષણ, એલર્જી અને વ્યવસાયિક સંપર્કોનો સમાવેશ થાય છે. બહારનું વાયુ પ્રદૂષણ અને ઘરની અંદરનું વાયુ પ્રદૂષણ (ઘણી વખત ઘન ઇંધણ સાથે રાંધવાના કારણે) પણ સામાન્ય કારણો છે.

આજકાલ વધતા પ્રદુષણને કારણે યુવાનોમાં પણ શ્વાસ સંબંધી ગંભીર બિમારીઓ જોવા મળી રહી છે. કોરોના સંક્રમિત લોકો ભલે સ્વસ્થ થઈ ગયા હોય પરંતુ આજે પણ બદલાતા હવામાન સાથે તેમને શ્વાસ સંબંધી ગંભીર બિમારીઓનો સામનો કરવો પડે છે. શ્વાસ સંબંધી રોગના કિસ્સામાં અસ્થમા, ન્યુમોનિયા, ટીબી વગેરેને કારણે સમસ્યા વધવા લાગે છે. તમે તમારી ખાવાની ટેવોને બદલીને અને કેટલીક બાબતોને ટાળીને શ્વાસની તકલીફથી રાહત મેળવી શકો છો. જાણો શ્વાસના દર્દીઓએ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ.

1- મગફળીઃ- શ્વાસના દર્દીઓએ વધુ પડતી મગફળીનું સેવન ન કરવું જોઈએ. ઘણી વખત મગફળીથી એલર્જી પણ થાય છે. એલર્જીના કારણે પણ અસ્થમા થઈ શકે છે. તો આવી સ્થિતિમાં મગફળીનું સેવન હળવાશથી કરો, પરંતુ કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા ખાતરી કરી લો કે તે નુકસાનકારક છે કે નહીં.

2- દૂધ- દૂધ ભલે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ અસ્થમાના દર્દીઓ માટે તે નુકસાનકારક માનવામાં આવે છે. ઘણી વખત, દૂધ પીધા પછી શ્વાસના દર્દીઓને ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેથી દૂધનું સેવન ન કરવું વધુ સારું છે.

3- મીઠું- એવું હંમેશા કહેવામાં આવે છે કે વધારે માત્રામાં કોઈપણ વસ્તુ સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થાય છે. એ જ રીતે વધુ પડતું મીઠું પણ શરીરને નુકસાન પહોંચાડે છે. મીઠાના સેવનથી ગળામાં સોજો આવે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

4- આલ્કોહોલ- વાઈન અને બીયર બંનેમાં સલ્ફાઈટ હોય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેથી, અસ્થમાના દર્દીએ આલ્કોહોલ અને બીયર બંનેનું સેવન ન કરવું જોઈએ.

5- ઈંડા- ઈંડામાં કેટલાક એવા તત્વો હોય છે જે ફેફસામાં સમસ્યા પેદા કરે છે. તેથી, શ્વસન દર્દીઓ માટે ઇંડા ખાવા માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

6- સોયા- સોયા પણ ક્યારેક એલર્જીનું કારણ બને છે. અસ્થમાના દર્દી માટે કોઈપણ વસ્તુની એલર્જી સૌથી વધુ નુકસાનકારક સાબિત થાય છે. તમારે સોયાનું સેવન સમજી વિચારીને કરવું જોઈએ.

7- માછલી- જેઓ નોન-વેજ નથી ખાતા તેમના માટે સારું છે, પરંતુ જે લોકો નોન-વેજ ખાય છે તેમણે માછલીનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ. અસ્થમાના દર્દીઓને માછલી ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

8- સોપારી- સોપારીનું સેવન ફેફસાના દર્દીઓ માટે નુકસાનકારક હોવાનું કહેવાય છે. અસ્થમાના દર્દીઓએ નિયમિત રીતે સોપારીનું સેવન ન કરવું જોઈએ.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચોઃ 

શરીરમાં Vitamin-D ની ઉણપ હોય તો જોવા મળે છે આ લક્ષણો, આ રીતે કરો બચાવ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget