શોધખોળ કરો

Divorce: લગ્નના કેટલા વર્ષ પછી સૌથી વધુ થાય છે છૂટાછેડા? સંબંધોમાં કડવાશ આવવાના કારણો

Communication In Relationships: તાજેતરના વર્ષોમાં છૂટાછેડાના કેસોની વધતી સંખ્યાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે લગ્નના કયા વર્ષો સંબંધ માટે સૌથી પડકારજનક સાબિત થાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લગ્નના શરૂઆતના 2 વર્ષ અને 5-8મા વર્ષમાં છૂટાછેડાનું જોખમ.
  • 7મું અને 8મું વર્ષ સંબંધો માટે સૌથી ખતરનાક ગાળો.
  • 9-15 વર્ષ પછી સંબંધોમાં સ્થિરતા અને સમજણ વધે છે.
  • આર્થિક તણાવ, વિચારસરણીમાં બદલાવ, બેવફાઈ મુખ્ય કારણો.

After How Many Years Do Most Couples Divorce: લગ્નને અવારનવાર જિંદગીનો સૌથી મજબૂત સંબંધ માનવામાં આવે છે, પરંતુ દરેક સંબંધ હંમેશા એકસરખો નથી રહેતો. સમયની સાથે લોકોની વિચારસરણી, જરૂરિયાતો અને લાગણીઓ બદલાય છે અને ઘણીવાર આ જ બદલાવ સંબંધોમાં અંતર આવવાનું કારણ બની જાય છે. તાજેતરના વર્ષોમાં છૂટાછેડાના વધી રહેલા કિસ્સાઓએ એ સવાલ ઊભો કર્યો છે કે આખરે લગ્નનું કયું વર્ષ સંબંધો માટે સૌથી વધુ મુશ્કેલ સાબિત થાય છે.

 

કયા વર્ષમાં સૌથી વધુ થાય છે છૂટાછેડા?

સંબંધો વિશે માહિતી આપતી વેબસાઇટ મેરેજ ડોટ કોમ (marriage.com) ના જણાવ્યા અનુસાર, લગ્નના શરૂઆતના 2 વર્ષ અને ત્યારપછી 5 મા વર્ષથી લઈને 8 મા વર્ષ વચ્ચે છૂટાછેડાનું જોખમ સૌથી વધુ જોવા મળે છે. રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે 7 મું અને 8 મું વર્ષ સંબંધો માટે સૌથી ખતરનાક ગાળો માનવામાં આવે છે.

આ પણ વાંચો...સવારની ફોન જોવાની આદત છે ખતરનાક: સ્વાસ્થ્ય અને મગજ પર થાય છે ખરાબ અસર, જાણો બચવાના ઉપાયો

ઘણા એક્સપર્ટ્સ આને 'સેવન યર ઈચ' (Seven-Year Itch) સાથે જોડીને જુએ છે. આ એક જૂની થિયરી છે, જેના મુજબ લગ્નના આશરે 7 વર્ષ પછી ઘણા કપલ્સના સંબંધોમાં પહેલા જેવો રસ ઓછો થવા લાગે છે. જોકે આ વાત સંપૂર્ણપણે સાબિત થઈ નથી, પરંતુ ઘણા રિસર્ચ અને આંકડાઓમાં 7 મા અને 8 મા વર્ષ દરમિયાન છૂટાછેડાના કેસોમાં વધારો જોવા મળ્યો છે.

સંબંધોમાં ક્યારે સ્થિરતા આવે છે?

સ્ટડીમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે સંબંધો આ મુશ્કેલ ગાળાને પાર કરી લે છે, તેમનામાં આગામી કેટલાક વર્ષો સુધી છૂટાછેડાનું જોખમ ઘટી જાય છે. લગ્નના 9 મા વર્ષથી લઈને 15 મા વર્ષની વચ્ચે ઘણા કપલ્સ પોતાના સંબંધોમાં વધુ સ્થિરતા અને સમજણ અનુભવે છે. એક્સપર્ટ્સ માને છે કે આ સમય સુધીમાં લોકો પોતાના પાર્ટનર, બાળકો, કરિયર અને જવાબદારીઓ સાથે વધુ સારી રીતે તાલમેલ બેસાડી લે છે.

કયા કારણોસર સંબંધોમાં તિરાડ પડે છે?

સંબંધોમાં તિરાડ પડવા પાછળ માત્ર એક જ કારણ જવાબદાર નથી હોતું. એક્સપર્ટ્સના મતે, આર્થિક તણાવ છૂટાછેડાના સૌથી મોટા કારણોમાંથી એક માનવામાં આવે છે. પૈસાની અછત, દેવું અથવા નોકરી જવી જેવી પરિસ્થિતિઓ સંબંધો પર ભારે દબાણ લાવી શકે છે.

આ સિવાય સમયની સાથે ભવિષ્યને લઈને વિચારસરણી બદલાવી પણ સંબંધોમાં અંતર લાવી શકે છે. ઘણીવાર લગ્નના થોડા વર્ષો પછી પતિ-પત્નીના લક્ષ્યો, કરિયર અથવા પરિવારને લઈને વિચારો અલગ થઈ જાય છે, જેનાથી વિવાદ વધવા લાગે છે. એક્સપર્ટ્સ એવું પણ માને છે કે બેવફાઈ, પરિવાર સાથે ખરાબ સંબંધો, ઘરેલું હિંસા અને ઇમોશનલ સપોર્ટની કમી પણ છૂટાછેડાના મોટા કારણો બને છે. વળી, નાની ઉંમરે લગ્ન કરવા અને જલ્દી પેરેન્ટ્સ  બની જવું પણ ઘણા કપલ્સ માટે સંબંધો સાચવવા મુશ્કેલ બનાવી દે છે.

ડિસ્ક્લેમર (Disclaimer): આ માહિતી રિસર્ચ સ્ટડીઝ અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. તેને મેડિકલ સલાહનો વિકલ્પ ન માનવો. કોઈપણ નવી પ્રવૃત્તિ કે કસરત અપનાવતા પહેલા તમારા ડોક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

Frequently Asked Questions

લગ્નના કયા વર્ષોમાં છૂટાછેડાનું જોખમ સૌથી વધુ હોય છે?

મેરેજ ડોટ કોમ અનુસાર, લગ્નના શરૂઆતના 2 વર્ષ અને 5 થી 8 મા વર્ષ વચ્ચે છૂટાછેડાનું જોખમ વધારે જોવા મળે છે. ખાસ કરીને 7મું અને 8મું વર્ષ સંબંધો માટે સૌથી ખતરનાક ગણાય છે.

'સેવન યર ઈચ' (Seven-Year Itch) નો અર્થ શું છે?

આ એક જૂની થિયરી છે જે મુજબ લગ્નના લગભગ 7 વર્ષ પછી કપલ્સના સંબંધોમાં પહેલા જેવો રસ ઓછો થઈ શકે છે. ઘણા રિસર્ચમાં આ સમયગાળા દરમિયાન છૂટાછેડાના કેસોમાં વધારો જોવા મળ્યો છે.

કયા વર્ષ પછી સંબંધોમાં સ્થિરતા આવે છે?

જે સંબંધો મુશ્કેલ ગાળાને પાર કરી લે છે, તેઓ લગ્નના 9 થી 15 મા વર્ષની વચ્ચે વધુ સ્થિરતા અને સમજણ અનુભવે છે. આ સમય સુધીમાં પાર્ટનર, જવાબદારીઓ સાથે તાલમેલ બેસી જાય છે.

સંબંધોમાં તિરાડ પડવાના મુખ્ય કારણો કયા છે?

આર્થિક તણાવ, ભવિષ્ય અંગે બદલાતી વિચારસરણી, બેવફાઈ, પરિવાર સાથે ખરાબ સંબંધો, ઘરેલું હિંસા અને ભાવનાત્મક ટેકાનો અભાવ છૂટાછેડાના મુખ્ય કારણો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget