શોધખોળ કરો
સ્વ. કેતન પટેલની અંતિમયાત્રા શરૂ થઈ, હજારો પાટીદારો ઉમટ્યા, પોલીસના ખડકલાથી મહેસાણા લશ્કરી છાવણી બન્યું
1/6

પાટીદારોનાં સૂત્રોએ જણાવ્યું છે કે, પોલીસે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાને પગલે સંઘર્ષની શક્યતા નકારી શકાય તેમ ન હોઇ અંતિમયાત્રાનો નિર્ણય લેવાયો છે. આ અંતિમ યાત્રામાં કોઈ છમકલું ના થાય તે માટે જંગી પ્રમાણમાં પોલીસોનો ખડકલો કરી દેવાયો છે ને મહેસાણા લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે.
2/6

મહેસાણા સિવિલથી રવિવારે સવારે 8 વાગે કેતનની સ્મશાન યાત્રા નીકળી છે. આ અંતિમયાત્રા રાધનપુર ચોકડીથી પાંચોટના માર્ગે નુગર બાયપાસથી મીઠા- સામેત્રા થઇને બલોલ પહોંચશે. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઇ નાજુક તબિયતને કારણે સીધા સ્મશાને પહોંચી પુત્રને અગ્નિ સંસ્કાર આપશે.
Published at : 18 Jun 2017 09:27 AM (IST)
View More























