શોધખોળ કરો

ગુલબર્ગ હત્યાકાંડનો ચુકાદો જાહેરઃ VHPના નેતા સહિત 24 આરોપીઓ દોષિત, 6, જૂને સજા અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં 2002ના ગુલબર્ગ હત્યાકાંડનો ચુકાદો આજે જાહેર થયો હતો. આ પૈકી કોર્ટે 24 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા જ્યારે 36 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા આરોપીઓમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા અતુલ વૈદ્યનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે  વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ થયેલા તોફાનોમાં  ગુલબર્ગ સોસાયટી થયેલા હત્યાકાંડમાં 69 લોકોને જીવતા સળગાવી દીધા હતા.આ પૈકી કોર્ટે 36 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓમાં કોર્પોરેટર બિપિન પટેલનો પણ સમાવેશ થાય છે.  દોષિતોને 6, જૂનના રોજ સજા સંભળાવવામાં આવશે. શું થયું હતું એ દિવસે? 28 ફેબ્રુઆરી, 2002એ મેઘાણીનગર સ્થિત ગુલબર્ગ સોસાયટીને હજારો લોકોનાં ટોળાંએ ઘેરી લીધી હતી. ગોધરા ટ્રેનકાંડને પગલે ગુસ્સે ભરાયેલા લોકો  તીક્ષ્ણ હથિયારો, સળગતા કાકડા અને જ્વલનશીલ પ્રવાહી લઈ સોસાયટીમાં ઘૂસ્યા હતા. ગુલબર્ગમાં રહેતા કૉંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 59 લોકોને ટોળાએ રહેંસી નાખી સળગાવી દીધા હતા. સોસાયટીના અનેક મકાનોને પણ આગ ચાંપી હતી. બાદમાં પોલીસ અને ફાયરબ્રિગેડે બચાવ્યા હતા. મામલે પોલીસે બનાવ સમયે 40 જેટલા લોકોની ધરપકડ કરી હતી. અહેસાન જાફરીનાં પત્ની ઝકિયા જાફરીની સુપ્રીમ કોર્ટમાં પિટિશન બાદ કેસની તપાસ સીટ રચાઈ હતી. તેમજ ખાસ ડેઝિગ્નેટેડ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં જાફરી સહિત 69 લોકોના મોત થયા હતા. જેમાં 30 લોકોના શબ મળ્યા હતા, પરંતુ બાકી 30 લોકોના શબ મળ્યા નહોતા. જેમાં 7 વર્ષ પછી કાયદાકીય રીતે તેમનું મોત થયું હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં એક અઝહર પણ હતો. જે પારસી માતા-પિતા રૂપા અને દારા મોદીનો પુત્ર હતો. 28 ફેબ્રુઆરી 2002ના દિવસે એહસાન જાફરીની પત્ની જાકિયા જાફરી પણ ગુલબર્ગ સોસાયટીમાં હાજર હતી. પરંતુ જોત-જોતામાં તોફાનીઓએ તેમના પતિને મારી નાખ્યા હતા, જે 1977માં અમદાવાદના કોંગ્રેસના સાંસદ બન્યા હતા. ઘટના બાદ જાકિયા જાફરી અને રૂપા મોદીએ કોર્ટના દરવાજે ન્યાય માટે માંગણી કરી હતી. પરંતુ ન્યાય મળતા 14 વર્ષથી પણ વઘુ સમય વીતી ગયો હતો. ગુલબર્ગ સોસાયટી કાંડની તપાસ પહેલા અમદાવાદ પોલીસે કરી હતી અને જૂન 2002થી ઓક્ટોમ્બર 2004ની વચ્ચે આ મામલે પાંચ સપ્લીમેંટ્રી સહિત કુલ 6 ચાર્જશીટ દાખલ કરાઈ હતી. પરંતુ તે વખતે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ગુજરાતના તોફાનોને લઈને નિષ્પક્ષ તપાસ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget