શોધખોળ કરો

અમદાવાદઃ ABP અસ્મિતાના જૂના લોગોનો દુરુપયોગ કરીને ખોટી પ્લેટ વાયરલ કરનાર સામે કાર્યવાહી

સરખેજ પોલીસ સ્ટેશનમાં વાસુદેવ પટેલ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે

અમદાવાદઃ એબીપી અસ્મિતાના જૂના લોગોનો દુરુપયોગ કરીને ખોટી પ્લેટ વાયરલ કરનાર સામે અમદાવાદમાં કાર્યવાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, એબીપી અસ્મિતાના જૂના લોગોનો દુરુપયોગ કરી ખોટી પ્લેટ વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. એબીપી અસ્મિતાએ ક્યારેય પ્રસારિત ન કર્યા હોય તેવી પ્લેટ વાયરલ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં વાસુદેવ પટેલ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. આ વ્યક્તિએ વર્ષ 2019માં લેભાગૂ તત્વોએ બનાવેલી ખોટી પ્લેટને વાયરલ કરી હતી.

 

Gujarat Election: ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, 1 ડિસેમ્બરે મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મંગળવારે (29 નવેમ્બર) સાંજે પ્રથમ તબક્કાના પ્રચારનો અંત આવ્યો છે. ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી છે. પ્રથમ તબક્કામાં કુલ 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર મતદાન થવાનું છે. આ પછી બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે 93 બેઠકો પર થશે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર પૂરો થઈ ગયો છે. 1 ડિસેમ્બરે મતદાન થશે. તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 19 જિલ્લામાં મતદાન થશે. મતદાન કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. 50% મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

 

આટલા લોકો પ્રથમ તબક્કામાં મતદાન કરશે

મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 2,39,76,760 મતદારો મતદાન કરશે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે. મંગળવારે વહેલી સવારે તમામ પક્ષોએ પ્રચારમાં પુરી તાકાત લગાવી દીધી હતી. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાવનગરમાં પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.

 

આ છે પ્રથમ તબક્કાના મુખ્ય ઉમેદવારો

પ્રથમ તબક્કાના મોટા ઉમેદવારોમાં આમ આદમી પાર્ટી (AAP) ના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી છે, જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગુજરાતના પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી,  છ વખતના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, મોરબીના 'નાયક' કાંતિલાલ અમૃતિયા, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અને ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ અગ્રણી ઉમેદવારોમાં સામેલ છે.

મોટા નેતાઓએ પ્રચાર કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા અને અન્ય ભાજપના નેતાઓએ પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા તેમના પક્ષના ઉમેદવારોને સમર્થન આપવા માટે ઘણી રેલીઓ યોજી છે. AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પોતાની પાર્ટીના ઉમેદવારો માટે વ્યાપક પ્રચાર કર્યો છે અને લોકોને ઘણા વચનો આપ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Embed widget