શોધખોળ કરો

Atiq Ahmed : અમદાવાદની સાબરમતી જેલમાંથી યુપી જવા રવાના થયો અતીક, કહ્યું- તેમના ઈરાદા સારા નથી

Ahmedabad News: 22 એપ્રિલ 2019ના રોજ સુપ્રીમ કોર્ટે અતીક અહેમદને દેવરિયા જેલમાંથી ગુજરાતની જેલમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો.

Ahmedabad News: ગેંગસ્ટરમાંથી માફિયા અને પછી રાજનેતા બનેલા અતીક અહેમદને 28 માર્ચે ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અપહરણના ગુનામાં દોષિત જાહેર થયા બાદ અતીકને સાબરમતી જેલમાં પરત લાવવામાં આવ્યો હતો. ઉમેશ પાલ મર્ડર કેસ બાદ માફિયા અતીક અહેમદ પર કાયદાનો સકંજો ભીંસાઈ રહ્યો છે. હવે તેને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસ આતિકને લઈને યુપી જવા રવાના થઈ ગઈ છે. અતીક અહેમદને લાવવા માટે જે પોલીસ ટીમ ગુજરાત મોકલવામાં આવી છે તેમાં એક આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને 2 ઇન્સ્પેક્ટર સહિત 30 કોન્સ્ટેબલ છે.

કહેવામાં આવ્યું છે કે અતીકને લાવવાની આખી પેટર્ન પહેલા જેવી જ હશે. ગત વખતે જે રસ્તેથી તેને લાવવામાં આવ્યો હતો તે જ માર્ગેથી આ વખતે પણ તેને લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અતીકને લાવવા માટે જે જેલ વાન મોકલવામાં આવી હતી તેમાં બાયોમેટ્રિક લોક છે. એટલે કે તેને મેન્યુઅલી ખોલી શકાતું નથી. અતીકને લાવવા માટે, પોલીસકર્મીઓએ તેમના શરીર પર કેમેરા લગાવ્યા જેથી કરીને અતીકને સાબરમતીથી પ્રયાગરાજ લઈ જવાની સમગ્ર ઘટના રેકોર્ડ કરી શકાય. પ્રયાગરાજ પોલીસ બંને ભાઈઓને તેમની કસ્ટડીમાં લીધા બાદ સામ-સામે મુકાબલો પણ ગોઠવી શકે છે.

17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની કોર્ટે બાહુબલી અતીક અહેમદ સહિત 3 આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા હતા. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા.

શું હતો કેસ ?

બસપાના ધારાસભ્ય રાજુ પાલની 25 જાન્યુઆરી 2005ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતિક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ હતા. જ્યારે ચાર અજાણ્યાને આરોપી બનાવાયા હતા. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. અતીક અહેમદ અને તેના સહયોગીઓ સામે આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની પર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી.

5 વર્ષ પહેલા દેવરીયાથી સાબરમતી જેલ મોકલાયો હતો

22 એપ્રિલ 2019ના રોજ સુપ્રીમ કોર્ટે અતીક અહેમદને દેવરિયા જેલમાંથી ગુજરાતની જેલમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો. લખનૌના રિયલ એસ્ટેટ બિઝનેસમેન મોહિત જયસ્વાલનું અપહરણ કરીને દેવરિયા જેલમાં અતીક સમક્ષ લાવવા અને ત્યાં મારપીટ કરવામાં આવી હોવાના આરોપોને પગલે કોર્ટે આ આદેશ આપ્યો હતો. ત્યારબાદ જૂન 2019માં માફિયાને સાબરમતી જેલમાં ખસેડાયો હતો. સમાજવાદી પાર્ટીના પૂર્વ સાસંદ અને ધારાસભ્ય રહી ચુકેલા અતિક અહેમદ સામે હત્યા, ખંડણી સહિતના અનેક ગુના થયેલા છે.

રંગીલા રાજકોટમાં કોલેજના પ્રોફેસરની પત્નિને એક યુવક સાથે મિત્રતા કરવાનું ભારે પડ્યું. યુવકે પ્રોફેસરની પત્નિ સાથે મિત્રતા કેળવીને દુષ્કર્મ આચર્યું હતું. અરૂણ જોષી નામના શખ્સની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી. યુવકે મહિલા સાથે મિત્રતા કરીને તેના નગ્ન ફોટા અને રેકોર્ડિંગ કરી લીધા હતા. બાદમાં આ ફોટો અને રેકોર્ડિંગ તેના પતિને મોકલવાની ધમકી આપીને અનેક વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. મહિલાએ પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં એક પુત્ર છે. પતિ શિક્ષક તરીકે નોકરી કરે છે. 2003માં તેણે લવમેરેજ કર્યા હતા. દસેક વર્ષ પહેલા જયાં રહેતી હતી તે કવાર્ટરમાં પાડોશી મારફત તેનો આરોપી અરૂણ સાથે પરીચય થયો હતો. એક દિવસ અરૂણે પાડોશી મહિલાના મોબાઈલમાંથી તેને કોલ કરી વાતચીત કરી હતી. આ રીતે બાદમાં ત્રણથી ચાર વખત વાતચીત કરી હતી. જે બાદ પાડોશી મહિલાએ તેનો નંબર અરૂણને આપ્યો હતો. જેથી બંને અવાર-નવાર વાતચીત કરતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget