શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad : ભાજપના કયા ઉમેદવાર ચૂંટણી પહેલા જ થયા વિજેતા? કેવી રીતે બન્યા વિજેતા?
નારણપુરા વોર્ડમાં બક્ષીપંચ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા રાવલે ફોર્મ પાછું ખેંચતા ભાજપના ઉમેદવાર બ્રિન્દા સુરતી બિનહરીફ થયા છે.
![Ahmedabad : ભાજપના કયા ઉમેદવાર ચૂંટણી પહેલા જ થયા વિજેતા? કેવી રીતે બન્યા વિજેતા? Ahmedabad : BJP woman candidate Brinda Surati win without election at Naranpura ward Ahmedabad : ભાજપના કયા ઉમેદવાર ચૂંટણી પહેલા જ થયા વિજેતા? કેવી રીતે બન્યા વિજેતા?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/06184322/BJP.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપના એક ઉમેદવાર ચૂંટણી પહેલા જ વિજેતા બની ગયા છે. વાત એવી છે કે, નારણપુરા OBC પછાતવર્ગમાં માત્ર ભાજપ અને કોંગ્રેસના બે જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
જોકે, કોગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બિનહરિફ થયા છે. નારણપુરા ભાજપના ઉમેદવાર બ્રિન્દા સુરતી બિનહરીફ થયા છે. જેને કારણે તેઓ વગર મતદાને વિજેતા બની ગયા છે. તેમની સામે કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ વિજેતા બન્યા છે.
નોંધનીય છે કે, નારણપુરા વોર્ડમાં બક્ષીપંચ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા રાવલે ફોર્મ પાછું ખેંચ્યું હતું. ફોર્મ પરત ખેંચ્યા પછી ચંદ્રિકા રાવલ સંપર્ક વિહોણા થયા છે. નારણપુરા વોર્ડમાં મહિલા બક્ષીપંચની બેઠક અનામત રાખવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)