શોધખોળ કરો

કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણા હત્યા કેસઃ કોર્ટે દોષિતને આજીવન કેદની સજા ફટકારી

કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપી મનીષ શ્રવણકુમાર બલાઇને દોષિત જાહેર કર્યો છે. તેમ દોષિત મનીષ બલઇને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને 25000નો દન્ડ ફટકાર્યો છે.  

અમદાવાદઃ વર્ષ ૨૦૧૬માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં થયેલી કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપી મનીષ શ્રવણકુમાર બલાઇને દોષિત જાહેર કર્યો છે. તેમ દોષિત મનીષ બલઇને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને 25000નો દન્ડ ફટકાર્યો છે.  કોર્ટે કહ્યું, કેસ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી. કોર્ટે દોષિત જાહેર કરતાં આજીવન કેદની સજા કરવી કે ફાંસીની સજા કરવી એ અંગે દલીલ થઈ હતી. સરકારી વકીલે આરોપીને મૃત્યુપર્યંત આજીવન કેદની માંગણી કરી હતી.  

બીજી તરફ બચાવપક્ષના વકીલે રજૂઆત કરી કે, આરોપી દોષિત ઠર્યા છે તો તેને કરવામાં આવતી સજાના વર્ષો નક્કી કરવામાં આવે. આરોપીને કેટલી સજા કરવી તે અંગે કોર્ટ એક વાગ્યે ચુકાદો આપશે. ગત સુનાવણી બાદ કોર્ટ પરિસરમાં જ આરોપી ને માર મારવામાં આવ્યો હોવાની ઘટનાની કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી અને સરકારને કહ્યું કે આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં એટલે કે મારી કસ્ટડીમાં છે તેની પર હાથ ઉપાડવાનો કોઈને અધિકાર નથી. આ ચલાવી લેવાશે નહીં.  આરોપીને માર મારવાની ઘટના બાબતે સરકારી વકીલે કોર્ટને માફી માંગી હતી. 

ક્રાઇમ બ્રાન્ચે નોંધેલા કેસ પ્રમાણે,  એપ્રિલ-૨૦૧૬માં ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણીની રહસ્યમય રીતે હત્યા કરાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે વડોદરા નજીકના મિયાણાથી આરોપી મનીષ શ્રવણકુમાર બલાઇને આ કેસમાં ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ ડ્રગ્સની હેરાફેરના કેસમાં મનીશ બલાઇને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચમાં લાવી હતી.  

મોડી રાત્રે મનીષ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કરી ક્રાઇમ બ્રાન્ચની પાછળની દીવાલ કૂદી ભાગી ગયો હતો. ત્યાર બાદ ટ્રેન દ્વારા તે વડોદરાના મીયાણા પહોંચ્યો હતો. પોલીસે મોબાઇલ ફોનના લોકેશનના આધારે તેની ધરપકડ કરી હતી. આ કેસમં બન્ને પક્ષોએ સુનાવણી પૂર્ણ થતાં ચુકાદો ૨૨મી જુલાઇ પર અનામત રાખવામાં આવ્યો હતો, જેનો ચુકાદો આજે આવી ગયો છે અને આરોપીને દોષિત જાહેર કરાયો છે. તેમજ આજે સજાની પણ જાહેરાત થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Embed widget