શોધખોળ કરો

Ahmedabad Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરમાં ફાટ્યો કોરોનાનો રાફડો, જાન્યુઆરીના 8 દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા હડકંપ

Ahmedabad Covid-19 Update: મે મહિના બાદ શહેરમાં શનિવારે ૨૫૨૧ કેસ નોંધાયા છે.આ પૈકી પચાસ ટકા કેસ શહેરના પૂર્વ ઝોનમાં નોંધાયા છે.

Ahmedabad Corona Cases: ગુજરાતમાં સતત બીજા દિવસે પાંચ હજારથી વધુ નવા કોવિડ-19 કેસ નોંદાયા છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે. શનિવારે મે મહિના બાદ કોરોનાના નવા ૨૫૨૧ કેસ નોંધાતા નવા વર્ષમાં જાન્યુઆરીના આરંભના આઠ દિવસમાં શહેરમાં કોરોનાના ૧૨ હજારથી વધુ કેસ નોંધાવા પામ્યા છે.શનિવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.૫૫૯ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.નમાર્ચ-૨૦૨૦થી અમદાવાદ શહેરમાં કોરોના મહામારી શરુ થયા બાદ ૮ જાન્યુઆરી સુધીમાં કોરોનાના કુલ કેસ ૨,૪૯,૦૧૧ના આંક સુધી પહોંચ્યા છે.૮ જાન્યુઆરી સુધીમાં ૨,૩૬,૮૫૯ દર્દી કોરોનામુકત થયા છે.

એક જ દિવસમાં કેટલા સ્થળ માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન મુકવામાં આવ્યા

મે મહિના બાદ શહેરમાં શનિવારે ૨૫૨૧ કેસ નોંધાયા છે.આ પૈકી પચાસ ટકા કેસ શહેરના પૂર્વ ઝોનમાં નોંધાયા છે.શહેરમાં એક જ દિવસમાં નવા ૩૬ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.આ પૈકી ૧૧ સ્થળ પૂર્વ ઝોનના છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના પચાસ અને ઓમિક્રોનનો એક દર્દી સારવાર હેઠળ છે.શહેરના કુલ ૧૭૧ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મ્યુનિ.તંત્રે મુકયા છે. અમદાવાદમાં અગાઉ ૧૪૧ સ્થળ મ્યુનિ.તંત્રે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકયા હતા.શનિવારે છ સ્થળને નિયંત્રણમુકત કરી વધુ ૩૬ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા શહેરના કુલ ૧૭૧ સ્થળ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ મ્યુનિ.દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.શનિવારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના પાંચ સ્થળ,મધ્યઝોનના એક સ્થળ, પૂર્વ ઝોનના ૧૧ સ્થળ, પશ્ચિમ ઝોનના છ સ્થળ, દક્ષિણ ઝોનના પાંચ સ્થળ, ઉત્તર-પશ્ચિમ ઝોનના છ અને ઉત્તર ઝોનના બે સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.

શહેરમાં જાન્યુઆરીમાં નોંધાયેલા કેસ

જાન્યુઆરીના આરંભથી શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે.પહેલી જાન્યુઆરીએ શહેરમાં કોરોનાના ૫૫૯, બીજી જાન્યુઆરીએ ૩૯૬ કેસ, ત્રણ જાન્યુઆરીએ ૬૩૧ કેસ, ચાર જાન્યુઆરીએ ૧૨૯૦ કેસ,પાંચ જાન્યુઆરીએ ૧૬૩૭ કેસ, છ જાન્યુઆરીએ ૧૮૩૫ કેસ,સાત જાન્યુઆરીએ ૨૨૮૧ અને ૮ જાન્યુઆરીએ ૨૫૨૧ કેસ સાથે માત્ર આઠ દિવસમાં કોરોનાના શહેરમાં ૧૨,૧૫૦ કેસ નોંધાવા પામ્યા છે. શહેરમાં જે પ્રમાણે હાલમાં ડેલ્ટા અને ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યુ છે એ કારણથી અમુક સ્થળોએ પરિવારના તમામ સભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.જયાં પરિવારના તમામ સભ્યો કોરોના સંક્રમિત થયા છે એ પરિવારમાં નાના બાળકને અલગ રાખવા પડતા હોવાથી સ્થિતિ કફોડી બનતી જોવા મળે છે.

આ સ્થળ મુકાયા માઇક્રોકન્ટેઈનમેન્ટ ઝોનમાં

રોઝવુડ એસ્ટેટ જોધપુર ગામ, ગાલા સ્વીંગ જોધપુર, શ્યામતીર્થ એપાર્ટમેન્ટ સેટેલાઈટ, ઓર્ચિડ ગ્રીન ફિલ્ડ સરખેજ, અલફાતીમા રેસિડેન્સી જુહાપુરા,શિલાલેખ શાહીબાગ, સદગુરુ સાંનિધ્ય રામોલ, કર્ણાવતી એન્કલેવ ન્યૂ મણિનગર, શ્રીનંદ સિટી-૯ ન્યૂ મણિનગર, અવની હોમ્સ નિકોલ, મંગલતીર્થ સોસાયટી ભાઈપુરા, સ્વામી વિવેકાનંદ ચાર માળીયા નિકોલ, દિવ્યજીવન એલિગન્સ નિકોલ, સાંનિધ્ય બંગ્લોઝ વસ્ત્રાલ,  સીઆઈએસએફ-૧ વસ્ત્રાલ, સમૃધ્ધ ગ્રીન વસ્ત્રાલ, સરદાર પટેલ સોસાયટી વિરાટનગર, જય વિજય કુંજ સોસાયટી નારણપુરા, સ્તવન પાલડી, શરણ રેસિડેન્સી ચાંદખેડા, આઝાદ સોસાયટી નવરંગપુરા, દેવમ એપાર્ટમેન્ટ સાબરમતી, સર્વેશ એપાર્ટમેન્ટ રાણીપ, શાહઆલમ સોસાયટી દાણીલીમડા, શ્રીનાથ ફલેટ ઘોડાસર, મંગલમ ટેનામેન્ટ ઈસનપુર,અંબિકા ટેનામેન્ટ ઈસનપુર, પુષ્પાંજલિ એપાર્ટમેન્ટ કાંકરીયા, ઉમા શરણમ ગોતા, શુકન લોટસ ચાંદલોડીયા,આર્યમન બંગ્લોઝ થલતેજ, શાયોના શિખર ગોતા, અશોક વાટીકા બોપલ, ડીઓએસ કોલોની વસ્ત્રાપુર, ક્રીશન બંગ્લોઝ સરદારનગર, મહેશ્વરી સોસાયટી સરસપુરના કોરોના સંક્રમિત સ્થળને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

વસ્ત્રાલ,નિકોલ ઉપરાંત નરોડા,સરદારનગર,ઠકકરનગરમાં મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા

શનિવારે અમદાવાદમાં માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા ૩૬ નવા સ્થળ પૈકી વસ્ત્રાલ,નિકોલ ઉપરાંત બાપુનગર,સરદાર નગર અને ઠકકરનગર સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા છે.નરોડા ઉપરાંત સરદારનગર અને ઠકકરનગર વોર્ડમાં ૬૦ થી પણ વધુ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget