શોધખોળ કરો

કોરોના સંક્રમણ ફરીથી ન ફેલાય તે માટે અમદાવાદ કોર્પોરેશન એક્શનમાં, શું લીધો મોટો નિર્ણય?

જે તે એકમના સંચાલકે મુલાકાતીઓના વેકસીનેશન સર્ટિફિકેટ તપાસવાની જવાબદારી લેવી પડશે. અગાઉ સરકારી કચેરીઓ, કાંકરિયા ઝુ, AMTS અને BRTSમાં વેકસીન સર્ટિફિકેટ દર્શાવવા નિયમ લાગુ કરાયો હતો.

અમદાવાદઃ આવતી કાલથી નવલી નવરાત્રિ શરૂ થાય છે, ત્યારે સરકાર દ્વારા આ વખતે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જોકે, કોરોના રસીના બંને ડોઝ લેનારા લોકો જ ગરબા રમી શકશે. બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન પણ તહેવારો ટાણે કોરોના ફરીથી વકરે નહીં તે માટે એક્શનમાં આવી ગયું છે. 

આજથી શહેરમાં વેકસીનના ડોઝ ન લેનારા લોકોને ધાર્મિક સ્થાનોએ પ્રવેશ નહિં મળે. જે તે એકમના સંચાલકે મુલાકાતીઓના વેકસીનેશન સર્ટિફિકેટ તપાસવાની જવાબદારી લેવી પડશે. અગાઉ સરકારી કચેરીઓ, કાંકરિયા ઝુ, AMTS અને BRTSમાં વેકસીન સર્ટિફિકેટ દર્શાવવા નિયમ લાગુ કરાયો હતો. હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનએ 3000 જેટલી હોટલમાં નિયમ લાગુ કર્યો છે. તહેવારો નજીક આવતા ધાર્મિક સ્થળોએ મુલાકાત કરતા મુલાકાતીઓને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

અમદાવાદ કોર્પોરેશને કરેલા આદેશ પ્રમાણે, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પ્રાઇવેટ પ્રિમાઇસીસ જેવા કે શોપિંગ મોલ, સિનેમા ગૃહ, ક્લબ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટી પ્લોટ, હોટલ-રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો, મોટી સોસાયટી વગેરેની મુલાકાત લેતા નાગરિકો કે જેઓએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હયો તેવા વ્યક્તિઓને આ તમામ એકમો ખાતે પ્રવેશ આપવાનો રહેશે નહીં. 


કોરોના સંક્રમણ ફરીથી ન ફેલાય તે માટે અમદાવાદ કોર્પોરેશન એક્શનમાં, શું લીધો મોટો નિર્ણય?

ગુજરાતમાં આજે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,762 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે લાંબા સમય બાદ કોરોના સંક્રમણથી એક મોત થયું નથી. આજે  5,12,552 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 180 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 177 નાગરિકો સ્ટેબલ છે. 8,15,776 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10084 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. લાંબા સમય બાદ  આજે કોરોના સંક્રમણના કારણે એક  દર્દીનું જૂનાગઢમાં મોત થયું છે. વલસાડ 7,  સુરત કોર્પોરેશનમાં 5, સુરત 3, ખેડા 2, રાજકોટ  કોર્પોરેશનમાં 2, અમદાવાદ કોર્પોરેશન 1, જૂનાગઢ 1, નવસારી 1 અને  વડોદરા કોર્પોરેશનમાં  1  કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 

 


રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  18  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3899 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 44568 નાગરિકોને  રસીનો પ્રથમ અને 94760  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના  139609   નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 229698 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,12,552  કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,25,22,653 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

 

અમદાવાદ,  અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ,   ભાવનગર, ભાવનગર  કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન,  જુનાગઢ કોર્પોરેશન,    કચ્છ,   મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા,  પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ,   સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી  અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.

 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget