શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકવવા શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત
21મી એપ્રિલથી અત્યાર સુધી આવા 21000 નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 222 કેસો પોઝિટિવ આવ્યા છે.
![અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકવવા શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત Ahmedabad Corporation take big decision for avoid spread covid-19 in City અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકવવા શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/04205131/Shakbhaji.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે, ત્યારે અમદાવાદ કોર્પોરેશને શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે મોટો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, કોરોનાના સંક્રમણ સૌથી વધુ થતું હોય, તો તે છે સુપર સ્પ્રેડર. અગાઉ અમદાવાદ કોર્પોરેશન દ્વારા લોકોના સૌથી વધુ સંપર્કમાં આવનારા સુપર સ્પ્રેડર એટલે કે શાકભાજીવાળા, દૂધવાળા તેમજ કરિયાણાની દુકાનોવાળાનું સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂર જણાય તે લોકોના રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. 21મી એપ્રિલથી અત્યાર સુધી આવા 21000 નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 222 કેસો પોઝિટિવ આવ્યા છે.
હવે આ સુપર સ્પ્રેડર્સથી થતાં સંક્રમણને રોકવા માટે કોર્પોરેશન દ્વારા ખાસ પ્લાન તૈયાર કરાયો છે. હવે ફેરિયાઓને કાર્ડ આપી સ્ક્રીનીંગ કરવામા આવશે. એક અઠવાડિયા બાદ ફરી સ્ક્રીનીંગ કરવામાં આવશે. સુપર સ્પ્રેડર અટકાવવા આ નવો રસ્તો અપનાવાયો છે. સ્ક્રીનીંગ માટે આવશે બાદમાં ફેરિયાઓને સર્ટીફકેટ આપવામાં આવશે. અમદાવા મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ લોકોને વિનંતી કરી છે કે વેચનાર વ્યક્તિઓ માસ્ક ન પહેરે તો ઇન્ફેક્શન થઈ શકે છે. બિનજરૂરી શાકભાજી ન અડવા લોકોને તેમણે અપીલ કરી છે.
મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ આજે જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાનો ડબ્લિંગ રહેટ હવે 12 દિવસનો થઈ ગયો છે. તેમણે આ સાથે એમ પણ જણાવ્યું હતું કે, આશા રાખીએ આ લોકડાઉનનો છેલ્લો તબક્કો હોય. બીજા તબક્કામાં 90 ટકા લોકોનો સાથ મળ્યો. મક્કમતા સાથે આ લોકડાઉનનું પાલન કરીએ.
તેમણે 10 દિવસ અગાઉ કેસ ડબ્લિંગ રેટ અંગે જાણકારી આપી હતી અને અમદાવાદના લોકો ધ્યાન નહીં રાખે તો કોરોનાના કેસો ખૂબ ગતિથી વધશે, તેવી ચિંતા પણ તેમણે વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 15-20 એપ્રિલે આપણે ત્યાં કેસ ડબલ થયા હતા. આપણે લક્ષ્ય રાખ્યું હતું કે 3 મેં સુધીમાં કેસ ડબ્લિંગ રેટ ઘટાડવો. હવે એકટિવ કેસમાં વૃદ્ધિ દર પહેલા 40% હતો જે છેલ્લા 10 દિવસથી 8% આવ્યો છે. છેલ્લા બે દિવસમાં એક્ટિવ કેસનો દર ૬% થયો છે. તેમજ હવે ડબ્લિંગ રેટ 12 દિવસનો છે.
કોરોનામાં તકલીફ છે કે કેસોની સંખ્યાંમાં વધારો થાય તે પહેલાં ઇન્ફેક્શન રેટને કાબુ કરવાનો છે. 18 એપ્રિલે એક દિવસમાં 250 કેસ આવ્યા. ચાર દિવસનો ડબ્લિંગ રેટ હોટ તો હાલ એક દિવસમાં 2000 કેસ આવતા. હવે જે કેસ આવી રહ્યા છે તે સ્પષ્ટ છે કે ડબ્લિંગ રેટ ઓછો થઈ રહ્યો છે. કોટ વિસ્તારમાં 3 દિવસમાં ખાનગી હોસ્પિટલો સાથે વાત કરી છે. લોખંડવાલા અને છીપા કમ્યુનિટી સેન્ટર શરૂ કર્યા. છીપા વેલ્ફેર હોસ્પિટલની સુવિધા ઉભી કરી છે. જમાલપુર ચાર રસ્તા શિફા હોસ્પિટલ ઉભી કરી 40 બેડની કોવિડ સેન્ટર ઉભી કરવામાં આવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)