શોધખોળ કરો

સામાજિક સંસ્થામાં રાજકીય કદ વધારવા દાન જાહેર કર્યા બાદ આપતા નથીઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલનો રાજકીય આગેવાનો પર પ્રહાર

Ahmedabad News: જયસુખ પટેલના બચાવમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલ પણ મેદાનમાં આવ્યા છે. આ બાબતે તેમણે જણાવ્યું કે, જયસુખ પટેલના કિસ્સામાં ધર્મ કરતાં ધાડ પડી હોવાની ઘટના બની.

Ahmedabad News: પરોપકાર વિશે એવું કહેવામાં આવે છે કે હમણાં હાથથી આપેલા દાન અંગે ડાબા હાથને પણ ખબર ના પડવી જોઈએ. જોકે રાજકીય આગેવાનો સમાજમાં પોતાનું કદ મોટું કરવા અને પ્રભાવ પાડવા બિલકુલ ઉલટું કરે છે. જાહેરમાં મોટી રકમના દાનની જાહેરાત તો કરે છે પરંતુ દાનની રકમ આપતા નથી. આવા માત્ર જાહેરાત કરનાર રાજકીય દાનવીરો સામે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલે આવા લોકોને આડે હાથ લેતા જણાવ્યું કે, કેટલાક લોકો સામાજિક સંસ્થા માટે રાજકીય હેતુ માટે દાન જાહેર કર્યા બાદ આપતા નથી. રાજકીય મહત્વાકાંક્ષાથી દાન જાહેર કરતા હોય છે, રાજકીય હેતુથી જાહેર કરેલું દાન સમયસર આવતું નથી. રાજકીય હેતુ પૂરો નથી થતો ત્યાં સુધી દાન આપતા નથી. સામાજિક સંસ્થામાં રાજકીય કદ વધારવા દાન જાહેર કર્યા બાદ આપતા નથી.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ વિશે શું કહ્યું

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને ધંધાકીય હરીફાઇના કારણે ટાર્ગેટ કરાયા હોય તેવું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખને લાગી રહ્યું છે. જ્યારથી આ ગોઝારી ઘટનામાં જયસુખ પટેલને આરોપી દર્શાવવામાં આવ્યા છે ત્યારથી સમયાંતરે તેમને બચાવવા સંદર્ભે નિવેદનો આવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા હોય, કથાકાર મોરારી બાપુ હોય કે અન્ય પાટીદાર અગ્રણીઓના ભૂતકાળમાં આવા નિવેદનો આવ્યા છે ત્યારે હવે આરોપી જયસુખ પટેલના બચાવમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલ પણ મેદાનમાં આવ્યા છે. આ બાબતે તેમણે જણાવ્યું કે, જયસુખ પટેલના કિસ્સામાં ધર્મ કરતાં ધાડ પડી હોવાની ઘટના બની. સદભાવથી કરેલા કાર્યમાં આવી ઘટના બની છે. આ અઘટિત ઘટના બની તે માટે ટાર્ગેટ કરી નિમિત બનાવાયા. વ્યક્તિનો ઇરાદો જોવામાં આવે છે, વ્યક્તિએ પૌરાણિક ધરોહરને બનાવવા કાર્ય કર્યું.. કોઇની જાન લેવાનો ઉદ્દેશ્ય ન હોય એના માટે જવાબદાર ઠેરવી વાત કરીએ એ વ્યાજબી નથી.  કાયદા હેઠળ જે આવતું હોય એ કરવુ જોઇએ. કોઇ સામાજિક સંસ્થા સરકાર પર દબાણ કરતી નથી. કાયદો કોઇના દબાણ હેઠળ કામ કરતો નથી. ધંધાકીય રાજકીય સ્પર્ધામાં કેટલાક તત્વો કામ કરતા હોઇ શકે.

મોરબી પાસેથી નકલી ટોલનાકા સંદર્ભે જયરાજ પટેલ પર પાટીદાર સમાજના કેટલાક લોકો દ્વારા જ સિદસર સંસ્થામાંથી પદ છોડવાનું દબાણ થઈ રહ્યું છે. આ બાબતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલે પણ જયરાજ પટેલ પર આડકતરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, સામાજિક અને રાષ્ટ્રને લગતો મુદ્દો છે, રાષ્ટ્રને નુકસાન કરતી પ્રવૃતિ કરવી અયોગ્ય છે. સમાજના આગેવાનોએ આ વાતનું ધ્યાન રાખવુ જોઇએ. રાષ્ટ્ર વિરોધી કાર્ય કોઈ વ્યક્તિએનાં કરવું જોઈએ. જાહેર જીવનના સમાજના વ્યક્તિએ જાતે મૂલ્યાંકન કરવું જોઈએ. સમાજને દિશા મળે એ પ્રમાણોનું કાર્ય કરવુ જોઇએ.

હિન્દુઓમાં એકતા ઓછી અને જ્ઞાતિ એકતા વધુઃ નીતિન પટેલ; અમિત શાહને લઈ કહી આ વાત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget