![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad Rain : શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
શહેરના કેટલા વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ચાંદલોડિયા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. મેમનગર, ગુરુકુલ વિસ્તારમાં વરસાદનું હળવું ઝાપટું પડ્યું હતું.
![Ahmedabad Rain : શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું, ક્યાં ક્યાં પડ્યો વરસાદ? Ahmedabad Rain : some area recived rain in city Ahmedabad Rain : શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/a08de914fe22ed2cd16454dbb5ace0a0166193327485873_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ શહેરના કેટલા વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ચાંદલોડિયા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. મેમનગર, ગુરુકુલ વિસ્તારમાં વરસાદનું હળવું ઝાપટું પડ્યું હતું. જોધપુર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
શહેરના નારણપુરા વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. નારણપુરામાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાવવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. એસજી હાઈવે,સોલા,પકવાન,ઈસ્કોન પાસે વરસાદી ઝાપટા પડ્યા.
ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાતને ૪૭,૦૦૦ મેટ્રિક ટન આયાતી યુરિયા ખાતરનું આખું વેસલ ફાળવવામાં આવ્યું હોવાની વાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના હેઠળ ગાંધી જયંતિ-બીજી ઓક્ટોબર-૨૦૨૨થી તમામ રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓ દ્વારા એક જ સમાન પ્રકારની બેગમાં ખાતરોનું વેચાણ શરુ કરાશે.
આગામી રવિ અને ઉનાળુ ઋતુ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ૧૨.૫૦ લાખ મે.ટન યુરિયા, ૨.૫૦ લાખ મે.ટન ડીએપી, ૨.૮૫ લાખ મે. ટન એનપીકે , ૦.૬૦ લાખ મે. ટન એમઓપી અને ૧.૫૦ લાખ મે. ટન એસએસપીનો જથ્થો મંજૂર કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં યુરિયા ખાતરનો ૨.૫૦ લાખ મેટ્રિક ટન કરતાં વધુ જથ્થા સહિત અન્ય ખાતરો પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોવાની વાત મંત્રીએ કરી છે.
૮૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં સારા વરસાદના પરિણામે ૮૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે અને હજુ આગામી સમયમાં વધુ ૫ લાખ હેક્ટરમાં દિવેલા-ઘાસચારાના પાકોનું વાવેતર થનાર છે. ખરીફ પાકોમાં યુરિયાની જરૂરિયાતને ધ્યાને લઈ તેમજ રાજ્યના ખેડૂતોને સમયસર -પૂરતું ખાતર મળી રહે તે અમારી સરકારની પ્રાથમિકતા છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને કરાયેલી રજૂઆતના ફળ સ્વરૂપે ઇફકો કંપની દ્વારા આયાતી યુરિયા ખાતરનું ૪૭,૦૦૦ મેટ્રિક્ ટનનું આખે આખું વેસલ ગુજરાતના ખેડૂતોના હિતમાં ફાળવી આપવામાં આવ્યું છે. જેના પગલે આગામી સમયમાં પૂરતી માત્રામાં યુરિયા ખાતર રાજ્યમાં ઉપલબ્ધ થશે. હાલ રાજ્યમાં યુરિયા ખાતરનો ૨.૫૦ લાખ મેટ્રિક ટન કરતાં વધુ જથ્થા સહિત અન્ય ખાતરો પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.
એક જ સમાન પ્રકારની બેગમાં ખાતરો વિતરણ શરુ કરવામાં આવશે
કૃષિ મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, હાલ દેશમાં તમામ રાસાયણિક ખાતર કંપનીઓ દ્વારા ઉત્પાદિત ખાતરોનું જુદી જુદી ડિઝાઇન વાળી બેગોમાં ખાતરનું વેચાણ કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા રાસાયણિક ખાતર પર મોટા પ્રમાણમાં સબસીડી પણ આપવામાં આવે છે જેથી ભારત સરકારના નામે જ રાસાયણિક ખાતરોનું વેચાણ થાય તે જરુરી હતું. કેન્દ્ર સરકાર દ્વારા આગામી ગાંધી જયંતિ એટલે કે તા. ૦૨ ઓક્ટોબર- ૨૦૨૨થી તમામ રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓને પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના હેઠળ એક જ સમાન પ્રકારની બેગમાં રાસાયણિક ખાતરો વેચવાનું ફરજિયાત કરાયું છે. જેમાં હવે સમગ્ર દેશમાં ભારત યુરિયા, ભારત ડીએપી, ભારત એમઓપી અને ભારત એનપીકે તરીકે એક જ સમાન પ્રકારની બેગમાં ખાતરો વિતરણ શરુ કરવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)