શોધખોળ કરો

Ahmedabad: ''રાજકીય મહત્વાકાંક્ષા પૂર્ણ ન થતા લોકો દાન જમા કરાવતા નથી'', જાણો કોણે કર્યો રાજકીય આગેવાનો પર પ્રહાર?

Ahmedabad: અમદાવાદના જાસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સ્નેહમિલન યોજાયુ હતું.

Ahmedabad: અમદાવાદના જાસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સ્નેહમિલન યોજાયુ હતું. આ સ્નેહ મિલનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશના પ્રમુખ આર.પી.પટેલે રાજકીય આગેવાનો પર પ્રહાર કર્યા હતા.  તેમણે કહ્યું હતું કે ''રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા લોકો જાહેર કરેલું દાન જમા કરાવે. આ પ્રકારના લોકો ''રાજકીય મહત્વાકાંક્ષા પૂર્ણ ન થતા દાન જમા કરાવતા નથી. સમાજ ભાવનાને વરેલા શ્રેષ્ઠીઓ જાહેર રકમ જમા કરાવે છે. સમાજ ભાવના સિવાય રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા લોકો દાન જમા કરાવતા નથી. પોતાનું સ્થાન ઉંચુ વધારવા કેટલાક મહત્વાકાંક્ષીઓ દાન જાહેર કરે છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો સામાજિક સંસ્થામાં રાજકીય હેતુ માટે દાન જાહેર કર્યા બાદ આપતા નથી. રાજકીય મહત્વાકાંક્ષાથી દાન જાહેર કરતા હોય છે. રાજકીય હેતુથી જાહેર કરેલું દાન સમયસર આવતું નથી. રાજકીય હેતુ પૂરો નથી થતો ત્યાં સુધી દાન આપતા નથી. સામાજિક સંસ્થામાં રાજકીય કદ વધારવા દાન જાહેર કર્યા બાદ આપતા નથી.

પાટીદાર સમાજની દીકરીઓના પ્રેમ લગ્ન મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી દીકરીઓ ભાગીને લગ્ન કરે છે. આવા કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જાય છે. મોટાભાગના કિસ્સામાં સામેના પાત્રો રખડતાં અને લુખ્ખા તત્વો હોય છે. અસામાજિક તત્વો જાણી જોઈને ઇરાદાપૂર્વક દીકરીઓને ફસાવે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી  દીકરીઓની લાગણી ઉશ્કેરે છે. બોલિવૂડના ફિલ્મોમાં પણ આ પ્રકારની લવ સ્ટોરી દર્શાવવામાં આવે છે. દરેક સમાજ સુધી આ વાત પહોચે તે માટે મેં આ વાત મૂકી છે. રાત્રે ઘરસભામાં સંતાન માં - બાપ સામે ડર અને સંકોચ વગર વાત કરી શકે તેવું વાતાવરણ ઘરમાં ઉભુ કરવું જોઇએ. માતા પિતા દીકરીને ઘરમાં યોગ્ય સમય નથી આપી શકતા માટે આવા કિસ્સાઓ બને છે.  અમીર હોય કે ગરીબ દરેક પરિવાર સાથે આવી ઘટના બનતી રહે છે. આ પરિસ્થિતિનો ઉકેલ પારિવારિક સંબંધના આધારે લાવી શકાય છે. સંતાનો દરેક પ્રકારની વાત કરવાનો અવસર મળે તેવું હૂફવાળું વાતાવરણ ઉભુ કરવું જોઈએ.

નોંધનીય છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યાલયમાંથી માતાજીની મૂર્તિની ચોરી થઇ હતી. 500 - 500 ગ્રામની ચાંદીની 2 મૂર્તિની ચોરી થઇ હતી. રવિવારે બપોરના અરસામાં તસ્કરોએ ચોરી કરી હતી. આ મામલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. સાંતેજ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget