શોધખોળ કરો

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કર્યું હતું.  જેમાં રૂપિયા 66 કરોડના ખર્ચે બનેલા સિમ્સ હોસ્પિટલથી હેબતપુર ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

અમદાવાદ:  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કર્યું હતું.  જેમાં રૂપિયા 66 કરોડના ખર્ચે બનેલા સિમ્સ હોસ્પિટલથી હેબતપુર ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે 5.63 કરોડના ખર્ચે બનેલા થલતેજ અને ગોતામાં સ્વિમિંગ પુલ, જીમનેશિયમ અને ટેનિસ કોર્ટનું પણ અમિત શાહ દ્વારા લોકાર્પણ  કરવામાં આવ્યું હતું.   3 કરોડના ખર્ચે તૈયાર થયેલા વસ્ત્રાપુર રેલવે સ્ટેશન અંડરપાસનું લોકાર્પણ કરાયું હતું. 37.77 કરોડના ખર્ચે થલતેજમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું લોકાર્પણ કરાયું અને 163 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું.

આ ઉપરાંત અમદાવાદના સોલામાં ઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યુ કે ગુજરાતના વિકાસમાં પાટીદારોનું યોગદાન અનેરુ છે. તેમણે એમ પણ કહ્યુ કે જ્યારે ગુજરાતની ગાથા લખાશે તો પાટીદાર સમાજનું નામ સુવર્ણ અક્ષરે લખાશે.   ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યો છે. 12મી ડિસેમ્બરે ભવ્ય નવચંડી અને 13મી ડિસેમ્બરે શિલાપૂજન થશે. વિશ્વ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ મંદિર અમદાવાદના સોલામાં આકાર લઇ રહ્યું છે. આશરે 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે.

 અમિત શાહે વધુમાં કહ્યું કે આ ભવ્ય મંદિર જ્યારે બની જશે ત્યારે મને બોલાવજો હું જરૂર આવીશ. અમિત શાહે કોરોનાથી બચવા માટે નિયમોનું પાલન કરવા જનતાને અપીલ કરી હતી. સાથે તેમણે જે લોકોએ કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી તેઓને બીજો ડોઝ લેવા અપીલ કરી હતી.


દરમિયાન લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું હતું કે પાટીદાર સમાજ શિક્ષિત થયો છે. પાટીદાર સમાજ વૈશ્વિક ભાવના સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. સેવાની વૃત્તિ પાટીદાર સમાજની છે. પોતે કમાવી બીજાને ખવડાવવાની નીતિ છે, પાટીદાર સમાજનો નારો છે, પહેલા મહેનત, પછી વિચાર બનાવો અને કાર્ય સાથે આગળ વધો.

ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇરેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ

India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?

ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગરબ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસોજાણો રિસર્ચનું શું છે તારણ

બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણઆ રીતે બચાવોશિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા

અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માતલીંબડી હાઇવે પર કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત

About the author Hiren Meriya

Hiren Meriya is currently serving as an  Assistant Producer in ABP Asmita. Hiren Meriya has been working in the digital wing of abp news for the past five years. Apart from writing news, he has also been doing video related work. He has been writing news in different series during the elections of many states, Lok Sabha elections.  Before venturing into the world of journalism, he has done M.A in English And Master in Journalism from Saurashtra University. Hiren  has been writing continuously on issues like politics, elections and bollywood. He also wrote many reports related to it during the Corona epidemic.

Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget