શોધખોળ કરો

Arvind Kejriwal Gujarat Visit: અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આદિવાસીઓને લઈને કરશે મોટી જાહેરાત

Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેઓ જામનગર ખાતે વેપારીઓ સાથે બેઠક કરશે. જામનગર બાદ કેજરીવાલ સાંજે 5 વાગે વડોદરા પહોંચશે

Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેઓ જામનગર ખાતે વેપારીઓ સાથે બેઠક કરશે.  અરવિંદ કેજરીવાલ બપોર બાદ ઓશવાલ સેન્ટર ખાતે વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાનો પ્રચાર પ્રસાર પૂર જોશમાં શરૂ કરી દીધો છે. 

 

જામનગર બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 5 વાગે વડોદરા પહોંચશે. ત્યાર બાદ રવિવારે એટલે કે, 7 તારીખે છોટાઉદેપુરના બોડેલીમાં સભા સંબોધશે. બોડેલીમાં ગુજરાતના આદિવાસીઓને લઈને કેજરીવાલ કોઈ મોટી જાહેરાત કરી શકે છે. જામનગર પહોંચેલા દિલ્હી સીએમએ કહ્યું કે, આવતીકાલે આદિવાસીઓના વિસ્તારમાં જશું અને આદિવાસીઓ માટેની શું ગેરેન્ટીઓ તેની આવતીકાલે જાહેરાત કરીશ. ગુજરાતના લોકો તરફથી બહુ જ સમર્થન મળી રહ્યું છે જેને કારણે ભાજપને તકલીફ થઇ રહી છે. ભાજપને બહુ અહંકાર આવી ગયો છે. લઠાકાંડને લઈને પણ કેજરીવાલે સરકાર પર નિશાન  સાધ્યું. હું દિલ્હીનો મુખ્યમંત્રી હોવા છતાં પણ લઠાકાંડના પીડિતોને મળવા ગયો પણ ગુજરાતના મુખ્યમંત્રી કે પાટીલ ત્યાં ના ગયા તેનાથી લોકો નારાજ થયા છે. ગુજરાતમાં પણ વીજળીના બીલો ઝીરો આવશે પણ મતદારો મત આપશે તો શક્ય બનશે.

ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા 

મફતની રાજનીતિ અંગે પણ ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. મફતનું કહીને ભાજપના નેતા ગુજરાતીઓનું અપમાન કરે છે. મારા કે તમારા પિતાજી નથી આપવાના. ગુજરાતની જનતાને તેના ટેક્ષના પૈસાનું વળતર આપીશું. સીઆર પાટિલની માનસિકતા ગુજરાત વિરોધી છે. હિમાચલ પ્રદેશમાં વીજળી ફ્રી આપે છે. હિમાચલ પ્રદેશનો ચૂંટણી ઢંઢેરો નથી વાંચ્યો એવું દીકરાના સોગંદ ખાય. ભાજપના નેતા બધું મફતમાં મેળવે છે.

હું ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું

વિધાર્થી નેતા યુવરાજસિંહએ રાજ્યમાં લેવાતી પરીક્ષાઓ અને તેમા ચાલતી ધાંધલીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારે જેટલી પણ ભરતીમાં ગેરરીતી થઇ છે તેમાં કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. સરકાર સિસ્ટમમાં સડો જાણી જોઇને ઇચ્છી રહી છે. સાશકોની સામે હું સક્રિય રાજકારણમાં આવીશ તેવો હુંકાર યુવરાજસિંહે કર્યો છે. ફરી આમ આદમી પાર્ટીમાં સક્રિય થવાનો નિર્ણય યુવરાજસિંહે ક્રયો છે. 15 ઓક્ટોબરની આસપાસ ગાંધીનગર ખાતે યુવા મહાસંમેલન મળશે. આ સંમેલનમાં કેજરીવાલ સહિત વિધાર્થીઓનું હિત જોનાર રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. 50 હજારથી એક લાખ યુવાનો હાજર રહેશે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ટિકીટ આપશે તો હું ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
ગરમીમાં દૂધ ફાટી જવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક્સ
ગરમીમાં દૂધ ફાટી જવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક્સ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : AAPના વળતા પાણી ? । abp AsmitaHun To Bolish : એપ્રિલમાં અગનવર્ષા । abp AsmitaGujarat Weather Update | રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહીLok Sabha Election 2024: કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેનનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
ગરમીમાં દૂધ ફાટી જવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક્સ
ગરમીમાં દૂધ ફાટી જવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક્સ
ભાડા કરાર વિના ફ્લેટ કે મકાન ભાડે આપવાથી થઈ શકે છે આ નુકસાન?
ભાડા કરાર વિના ફ્લેટ કે મકાન ભાડે આપવાથી થઈ શકે છે આ નુકસાન?
PBKS vs MI: મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 9 રને હરાવ્યું, આશુતોષની લડાયક ઈનિંગ
PBKS vs MI: મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 9 રને હરાવ્યું, આશુતોષની લડાયક ઈનિંગ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ
Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ
Embed widget