શોધખોળ કરો
Advertisement
ગૌ પ્રેમીએ ગાયના વાછરડા માટે બનાવડાવ્યા ચાંદીના દાગીના, વીડિયો થયો વાયરલ
શોરૂમમાં જ નંદી અને માહલી નામની ગાયને લાવીને પૂજા સાથે શણગાર કરવામાં આવ્યો હતો.
અમદાવાદના પ્રખ્યાત જ્વેલરી શો રૂમમાં ગાયના વાછરડાઓ માટે ચાંદીના દાગીના તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદના ગૌ પ્રેમીએ ગાય અને વાછરડાને દોઢ કિલો વજનના ચાંદીના એક લાખની કિંમતના ઘરેણા પહેરાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ખેતીમાં આધુનિક સાધનો આવિષ્કાર સાથે બળદથી થતી ખેતી ભુલાઈ રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતી અંગે લોકોમાં જાગૃતિ લાવવા ગૌ પ્રેમી વિજય પરસાણાએ તેમની સાથે રહેતી ગાયની અને નંદીની પૂજા કરીને બંનેને ચાંદીના દાગીના ચઢાવ્યા હતા. શોરૂમમાં જ નંદી અને માહલી નામની ગાયને લાવીને પૂજા સાથે શણગાર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં આવેલા એ.બી. જ્વેલર્સ ખાતે ગૌ પ્રેમી વિજય પરસાણાએ તેમની સાથે રહેતી ગાય અને નંદીને લઈને આવ્યા હતા. બાદમાં ત્યાં તેમની પૂજા કરવામાં આવી અને શો રૂમ તરફથી બંનેને ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement