શોધખોળ કરો

અમદાવાદમાં રથયાત્રા પછી જગન્નાથ મંદિરના હાથી પર 43 સેકન્ડમાં 19 ફટકા: વીડિયો જોઈને પ્રાણીપ્રેમીઓમાં રોષ

Ahmedabad Jagannath Temple elephant: રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ બન્યા બાદ વધુ એક ઘટના; મંદિર પ્રશાસન દ્વારા ઢાંકપિછોડાનો પ્રયાસ, વીડિયો બીજા સ્થળનો હોવાનો દાવો.

Elephant beaten Rath Yatra: અમદાવાદમાં તાજેતરમાં સંપન્ન થયેલી 148 મી રથયાત્રા દરમિયાન એક હાથી બેકાબૂ બન્યાની ઘટનાની ગંભીરતા હજુ શમી નથી, ત્યાં જ જગન્નાથ મંદિરના હાથીખાનામાં એક હાથીને મહાવત દ્વારા લાકડીથી બેફામ માર મારવામાં આવતો હોવાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ 43 સેકન્ડના વીડિયોમાં મહાવત હાથીને 19 જેટલા ફટકા મારતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે, જે જોઈને પ્રાણીપ્રેમીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

વીડિયોની વિગતો અને રથયાત્રાની ઘટના સાથે સંબંધ

આ વાયરલ વીડિયો રથયાત્રા પહેલાનો છે કે પછીનો, તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. જોકે, વીડિયોમાં હાથીનો શણગાર રથયાત્રામાં જોવા મળતા ગજરાજ જેવો જ દેખાતો હોવાથી સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે 27 જૂન ના રોજ અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે ડીજે અને સિસોટીના અવાજને કારણે 'બાબુ' નામનો હાથી બેકાબૂ બન્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે, ઝૂના સ્ટાફ, મહાવત અને પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને મોટી જાનહાનિ ટળી હતી.

મંદિર પ્રશાસનનો બચાવ અને ઢાંકપિછોડાનો આક્ષેપ

વાયરલ વીડિયો બાદ ABP અસ્મિતા દ્વારા જગન્નાથ મંદિરના હાથીખાનાના સંચાલક જગદીશ મહારાજનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે મંદિર પ્રશાસન અને હાથીખાનાના સંચાલક દ્વારા ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું જોવા મળ્યું. જગદીશ મહારાજે નિવેદન આપ્યું કે, વીડિયોમાં જે વ્યક્તિ હાથીને માર મારી રહ્યો છે તે હાથીખાનામાં કાર્યરત નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, બેકાબૂ થયેલા હાથીઓને સુરક્ષિત રીતે મંદિરમાં લાવવામાં આવ્યા છે.

હાથીઓને માર મારવામાં આવ્યો હોય તો તબીબોને તપાસ કરી ઈજાઓ પહોંચી છે કે કેમ તે મામલે પણ સૂચના આપવામાં આવી હોવાનું જગદીશ મહારાજે જણાવ્યું. તેમણે પોલીસનું ઉદાહરણ આપતા કહ્યું કે, ડર બતાવવા પોલીસ દંડા રાખે છે તેમ હાથીને ડર માટે મહાવત દંડો સાથે રાખતા હોય છે.

વીડિયોની સત્યતા પર સવાલ અને રાજકીય આક્ષેપો

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જગદીશ મહારાજે દાવો કર્યો છે કે જે વીડિયો વાયરલ થયો છે તે જગન્નાથ મંદિરના હાથીખાનાનો નથી. તેમણે કેટલાક વિરોધી તત્વોએ મંદિર પ્રશાસનને બદનામ કરવા વીડિયો વાયરલ કર્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરી. જોકે, જ્યારે ABP અસ્મિતાએ વીડિયોમાં દેખાતા હાથીખાનાના હિસ્સા અંગે સવાલ કર્યો તો જગદીશ મહારાજે નિવેદન કર્યું કે અનેક મંદિરોમાં આ પ્રકારના બેકગ્રાઉન્ડ હોય છે.

હાથીને માર મારવાના મામલે સ્વબચાવમાં જગદીશ મહારાજે નિવેદન કર્યું કે, હાથી દરેક મહાવતના બાળક સમાન છે. જોકે, આ સ્પષ્ટતા અને દાવાઓ વચ્ચે પણ વાયરલ વીડિયો અને તેમાં દેખાતી ક્રૂરતા અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. પ્રાણી કલ્યાણ સંગઠનો અને પ્રાણીપ્રેમીઓ દ્વારા આ મામલે સઘન તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
Advertisement

વિડિઓઝ

Gujarat CM Bhupendra Patel : CMએ મંત્રીઓને શું આપી કડક સૂચના? જુઓ અહેવાલ
Gandhinagar terror case: આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી મળ્યું ખતરનાક કેમિકલ
Hun To Bolish : હું તો બોલીશ : નવા નોટરીની નિમણૂક
Hun To Bolish : હું તો બોલીશ : 'કિસ્સા ખુરશી કા'
Hun To Bolish : હું તો બોલીશ : આ માફિયાઓને ભણાવો પાઠ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
જેલમાં જતા જ PM-CM ની ખુરશી  જશે! ૧૩૦મા સુધારા પર JPC બની, પણ વિપક્ષ કેમ છે નારાજ?
જેલમાં જતા જ PM-CM ની ખુરશી જશે! ૧૩૦મા સુધારા પર JPC બની, પણ વિપક્ષ કેમ છે નારાજ?
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Embed widget