![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona : છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોતથી હાહાકાર, હજુ 229 દર્દીઓ વેન્ટિલેટર પર
જરાતમાં કોરોનાના કેસમાં ગઈ કાલે ફરી એકવાર વધારો થયો છે. રાજ્યમાં કોરોના વાયરસના નવા 8338 કેસ નોંધાયા છે. ગઈ કાલે 38 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. તેમજ હજુ રાજ્યમાં 229 લોકો વેન્ટીલેટર પર છે.
![Gujarat Corona : છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોતથી હાહાકાર, હજુ 229 દર્દીઓ વેન્ટિલેટર પર Gujarat Corona : 38 persons died from corona in last 24 hours in Gujarat 229 persons on ventilator Gujarat Corona : છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોતથી હાહાકાર, હજુ 229 દર્દીઓ વેન્ટિલેટર પર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/31/f49409241f6e74212bedc4ba4f57e2ac_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ગઈ કાલે ફરી એકવાર વધારો થયો છે. રાજ્યમાં કોરોના વાયરસના નવા 8338 કેસ નોંધાયા છે. ગઈ કાલે 38 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. તેમજ હજુ રાજ્યમાં 229 લોકો વેન્ટીલેટર પર છે. 75235 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં છેલ્લા 5 જ દિવસમાં 166 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. અત્યાર સુધી મહાનગરોમાં કોરોનાથી મૃત્યુ થઈ રહ્યા હતા. જોકે, હવે ગામડાઓમાં પણ મૃત્યુઆંક વધી રહ્યો છે.
આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 75464 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1083022 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10511 લોકોના મોત થયા છે. બીજી તરફ આજે 16629 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.65 ટકાએ પહોંચ્યો છે. આજે 4,49,165 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2654, વડોદરા કોર્પોરેશનમાં 1712, વડોદરા 484, રાજકોટ કોર્પોરેશનમાં 475, સુરત કોર્પોરેશનમાં 257, પાટણ 224, ગાંધીનગર કોર્પોરેશનમાં 223, બનાસકાંઠા 212, કચ્છ 210, રાજકોટ 160, ભરુચ 145, સુરત 137, મહેસાણા 130, મોરબી 116, ખેડા 112, પંચમહાલ 98, આણંદ 95, જામનગર કોર્પોરેશન 95, સાબરકાંઠા 84, વલસાડ 81, ભાવનગર કોર્પોરેશન 80, ગાંધીનગર 64, અમરેલી 61, અમદાવાદ 48, જૂનાગઢ કોર્પોરેશન 46, નવસારી 39, ગીર સોમનાથ 37, સુરેન્દ્રનગર 37, તાપી 34, દાહોદ 33, જૂનાગઢ 30, જામનગર 21, છોટા ઉદેપુર 16, દેવભૂમિ દ્વારકા 16, મહીસાગર 16, ડાંગ 13, ભાવનગર 12, નર્મદા 11, અરવલ્લી 10, બોટાદ 5 અને પોરબંદરમાં 5 કેસ નોંધાયા છે.
આજે કોરોનાના કારણે 38 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ 2, સુરત 2,પંચમહાલ 1, જામનગર કોર્પોરેશન 1, વલસાડ 1, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 2, અમરેલી 1, નવસારી 2, જામનગર 1, દેવભૂમિ દ્વારકામાં 1, ભાવનગર 3 અને બોટાદમાં 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 39 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 1154 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 7808 લોકોને પ્રથમ અને 21030 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 30142 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 94186 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 36643 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 205480 15-18 વર્ષ સુધીનાને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 52684 લોકોને અપાયો છે. આજે કુલ 4,49,165 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,83,82,401 લોકોને રસી અપાઈ છે.
પાંચ દિવસના મોતના આંકડા
1 ફેબ્રુઆરીએ 38માંથી 21 દર્દીઓના મહાનગર અને 17 દર્દીઓના અન્ય વિસ્તારોમાં મોત નીપજ્યા હતા.
31મી જાન્યુઆરીએ 35માંથી 17 મહાનગર અને 18 અન્ય વિસ્તારોમાં મોત
30મી જાન્યુઆરીએ 30માંથી 18 લોકોના મહાનગરોમાં અને 12 લોકોના અન્ય વિસ્તારોમાં મોત નીપજ્યા હતા.
29મી જાન્યુઆરીએ 33માંથી 19 લોકોના મહાનગરોમાં અને 14 લોકોના અન્ય વિસ્તારોમાં મોત નીપજ્યા હતા.
28મીએ 30માંથી 18 લોકોના મહાનગરોમાં અને 12 લોકોના અન્ય વિસ્તારોમાં મોત નીપજ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)