શોધખોળ કરો

ગુજરાતમાં વેપારીઓને કોરોના રસીકરણની સમય મર્યાદામાં વધારા મુદ્દે સરકારે શું આપ્યું મોટું નિવેદન?

અંતિમ મુદ્દત બાદ હાલ પણ 25 ટકા વેપારીઓના બીજા ડોઝ બાકી હોવાથી હવે સરકાર મુદ્દત વધારવાની નથી. સરકાર દ્વારા બે વખત અપાયેલી છુટ ન માત્ર વેપારીઓ માટે પણ ગુમાસતા માટે પણ છૂટ આપવામાં આવી હતી.

અમદાવાદઃ આજે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે વેપારીઓને રસીકરણ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. વેપારીઓને વેકસીનેશનની મુદ્દતમાં નહિ થાય વધારો. વેક્સીન ન લેનારા લોકો સામે સમય આવવા પર કાર્યવાહી અંગે વિચારણા થશે.

અમદાવાદ સહિત ગુજરાતમાં વેપારીઓના વેકસીનેશન અંગે સરકારે બે વખત મુદ્દતમાં વધારો કર્યા બાદ હવે સરકાર મુદ્દત વધારવાના મૂડમાં નથી.આ નિવેદન આપ્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે. અગાઉ જૂન માસમાં અને બાદમાં જુલાઈ માસમાં વેપારીઓનો મોટા ભાગનો વર્ગ વેકસીનથી વંચિત હોવાના કારણે વેપારીઓએ સરકાર સમક્ષ અલગ અલગ માધ્યમ દ્વારા મુદ્દત વધારવા માંગ કરી હતી.

31 જુલાઈ બાદ 15 ઓગસ્ટ સુધી વેકસીન લઈ લેવાની અંતિમ મુદ્દત બાદ હાલ પણ 25 ટકા વેપારીઓના બીજા ડોઝ બાકી હોવાથી હવે સરકાર મુદ્દત વધારવાની નથી. સરકાર દ્વારા બે વખત અપાયેલી છુટ ન માત્ર વેપારીઓ માટે પણ ગુમાસતા માટે પણ છૂટ આપવામાં આવી હતી.જે બાદ હવે સરકાર વેકસીન વેપારીઓને આપવા અંગેની મર્યાદામાં વધારો નહી કરે.

રાજકીય કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનો નાયબ મુખ્યમંત્રીનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે, અનેક તકેદારી રાખવા છતાં સોશ્યલ ડિસ્ટન્સ નથી જળવાતું. વેકસીનનો બીજો ડોઝ લેવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એ વાતનો સ્વીકાર કર્યો કે કોઈ પણ પક્ષના રાજકીય કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી.

સરકારની 5 વર્ષની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે અમે પણ એ બાબતનું ધ્યાન રાખ્યું હતું કે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય, જે બાદ છેલ્લા અનેક સમયથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી તે નિંદનીય બાબત છે. કોરોના પૂર્ણ થયા બાદ જનરલ OPDમાં પણ વધારો થયો છે. મંદિર પણ હાલ શ્રાવણ માસમાં શરૂ કરવામાં આવ્યા છે. ત્યાં પણ તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. પાર્ટીના કાર્યકર્તાઓમાં સતત જાગૃતિ માટે પ્રદેશ અધ્યક્ષ પણ સતત ટકોર કર્યા બાદ પણ સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાથી સરકારની ચિંતામાં વધારો કરનાર બાબત છે.

તેમણે જણાવ્યું હતું કે, આટલું માર્ગદર્શન આપ્યા બાદ હજી જે લોકો વેકસીન લેવા નથી માંગતા. ગેરમાર્ગે દોરેલા લોકો માટે સરકારનો કોઈ વાંક નથી. કોઈ પણ વ્યક્તિ માટે બહાનું ચલાવવામાં નહિ આવે. મારી વેકસીન લેવાથી સલામતી વધી છે. બીજા કાર્યકર્તાઓ અને કર્મચારીઓ ઓફિસમાં મળે તો તેમની સલામતી વધે છે.
-
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વેકસીન આપવાનું કામ ચાલી રહ્યું છે. દરરોજ 6 લાખ લોકોને ડોઝ અપાઈ રહ્યા છે. ગુજરાતમાં કાલે દેશમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આપણે 4 કરોડ લોકોને વેકસીનના પહેલા અને બીજા ડોઝ અપાયા છે. આરોગ્યવિભાગના તમામ સ્ટાફને અભિનંદન આપું છું. વેકસીનેશનનું કામ સતત રજા વગર કરવામાં આવ્યું છે. 2500 સેન્ટર ઉપર વેકસીન આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર પણ ભારત સરકાર દ્વારા વધુ જથ્થો મળે તેના માટે પ્રયત્નશીલ છે. મનસુખ માંડવીયાને હું પણ વિનંતી કરું છું કે વધુમાં વધુ ડોઝ મળે.

સરેરાશ છ લાખ ડોઝ આવે છે અને જુદા જુદ નાગરિકોને ડોઝ આપવામાં આવી રહ્યા છે. દસ લાખની વસ્તીએ ગુજરાત પ્રથમ ક્રમ ઉપર છે. કેરળ જેવા રાજ્યમાં 25000 કેસ આવી રહ્યા છે. ગુજરાતમાં ફક્ત 20 થી 25 કેસ આવી રહ્યા છે. જનરલ OPD અને ઓપરેશન મુલતવી રાખ્યા હતા. કોરોનાની સ્થિતિ થાળે પડતા ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં અલગ અલગ રોગની સારવાર માટે આવે છે. સોલા સિવિલમાં હોસ્પિટલમાં રોજના 1500 થી 2000 દર્દીઓ જનરલ OPD માં આવી રહ્યા છે. કોવિડ વખતે જે દર્દીઓની સારવાર બંધ થઈ હતી. દર્દીઓનો વિશ્વાસ વધ્યો છે. CHC અને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં સારવાર માટે આવે છે. યુ.એન.મહેતા,કેન્સર હોસ્પિટલમાં અપાતી સારવાર પુનઃ શરૂ થયા છે.

મોટાભાગે અમે કાળજી રાખીએ છે. સરકારી કાર્યક્રમમાં સીએમ અને હું પોતે પાંચ વર્ષની ઉજવણીમાં અમે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કર્યું. જ્યાં બીજા કાર્યક્રમ હોય ત્યાં થોડી કાળજી જરૂરી છે. અમારા ધ્યાનમાં પણ આવ્યું છે. અમારા પરદેશ અધ્યક્ષ પણ સતત કહે છે.  કાર્યકર્તાઓ અને શુભેચ્છકો મોટી સનખ્યામાં આવતા નિયમોનું પાલન થતું નથી અમે સ્વીકારીએ છે. શ્રાવણ મહિનો ચાલુ છે. પ્રથમ સોમવારે હું પણ ગયો તમામ મંદિરમાં પાલન થઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget