શોધખોળ કરો

Gujarat Election : 'અરવિંદ કેજરીવાલના ગુંડા દ્વારા ભાજપના યુવા મોરચાના કાર્યકર પર જીવલેણ હુમલો કર્યો'

ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર આપના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવતાં તેમણે શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદઃ ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર આપના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવતાં તેમણે શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આજે કાયદા મંત્રી પ્રદીપ પરમાર પવન તોમરના ખબર-અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સમયે તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલના ગુંડા દ્વારા ભાજપના યુવા મોરચાના કાર્યકર પર જીવલેણ હુમલો કર્યો છે. 27 વર્ષના ભાજપના શાશનથી કેજરીવાલના ગુંડા ગભરાયા છે. ખાલિસ્તાનને સમર્થન આપનારા કેજરીવાલના ગુડાઓનું આ કૃત્ય છે. આવનારા દિવસોમાં આ નક્સલીઓને ગુજરાતીઓ જવાબ આપશે.

મંગળવારે અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી.ભાજપના યુવા મોરચાના ગોમતીપુર વોર્ડના પ્રમુખ પવન તોમરને છરી વાગતા તેઓને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.રાજ્યના બે મંત્રીઓ જગદીશ પંચાલ અને પ્રદીપ પરમારે આજે હોસ્પિટલ જઈ ખબર અંતર પૂછ્યા હતા અને બાદમાં મીડિયા સાથેની વાતમાં બંને મંત્રીઓએ કેજરીવાલને આડેહાથ લેતા તેમના કાર્યકરોને ગુંડાઓ અને અર્બન નક્સલીઓ સાથે સરખાવતાં આપ હાર ભાળી જતા આ પ્રકારના રાજકારણ પર ઉતરી આવ્યોનો આરોપ લગાવ્યો હતો.

પવન તોમર  આપના કાર્યકરો સાથે ગઈકાલે થયેલી મારામારીમાં પવન તોમર ઘાયલ થયા છે. આપના 6 જેટલા કાર્યકરો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 307 કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદના મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ પણ પહોંચ્યા.

મંત્રી જગદીશ પંચાલે કહ્યું હતું કે, રાજકારણનું વરવું દ્રશ્ય જોવા મળ્યું છે. કેજરીવાલના ગુંડાઓ અને અર્બન નક્સલીઓએ આ કૃત્ય કર્યું છે. ગુજરાતની જનતા આ અર્બન નક્સલીઓને ક્યારેય માફ નહિ કરે. હાર ભાળી ગયેલા કેજરીવાલના ગુંડાઓએ 8 ઇંચ જેટલા ખંઝરથી વાર કર્યો છે. 10 દિવસ બાદ અમારો આ કાર્યકર ફરીથી જનતાની સેવામાં કાર્યરત થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget