શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

Ahmedabad NEWS: અમદાવાદમાં પોલીસકર્મીએ ઉચ્ચ અધિકારીઓને કરી આજીજી, મારા દીકરાને નશાની લતમાંથી છોડાવો

Ahmedabad NEWS: સામાન્ય રીતે પોલીસ લોકોને નશાના રવાડે ચડતા અટકાવતી હોય છે અને લોકોની મદદ કરતી હોય છે, પરંતુ હાલમાં અમદાવાદના એક પોલીસકર્મીનો છોકરો નશાના રવાડે ચડી ગયો છે. જેને લઈને તેમના પિતાએ મદદ માગી છે

Ahmedabad NEWS: સામાન્ય રીતે પોલીસ લોકોને નશાના રવાડે ચડતા અટકાવતી હોય છે અને લોકોની મદદ કરતી હોય છે, પરંતુ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા ભીખુસિંહ ઝાલા અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે પોતાના પરિવારને બચાવવા મદદ માગી રહ્યા છે. તેમનું કહેવું છે કે મારો દીકરો નશામાં એટલો માનસિક વિકૃત થઈ ગયો છે, હવે તો બીક લાગે છે કે હું કે મારા ઘરના ઊંઘમાં હોય અને મારો દીકરો જ અમારું ગળું દબાવી શકે છે. તેમનું કહેવું છે કે અમદાવાદના પોલીસ કમિશનર નશામુક્તિ માટે નાઈટ મેરેથોન કરે છે, પણ મારા દીકરાને નશાની લતમાંથી છોડાવવા કોઈ આગળ આવતું નથી.

ભિખુસિંહનું કહેવું છે કે દીકરો મારઝૂડ કરે, માતા-પિતા-દાદીને ગંદી ગાળો છે. તેમનું કહેવું છે કે, બે વર્ષ પહેલાં મારી વાઇફે એક પડીકી મને બતાવી. એ પડીકી જોઈ તો તેની સાથે સિગારેટ પણ હતી. આટલાં વર્ષોથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું કામ કરતો હોવાથી ગાંજાને સારી રીતે ઓળખું છું. મને ખબર પડી ગઈ કે પડીકીમાં શું હતું. મારી વાઈફને મેં કહ્યું કે આ ગાંજો છે અને એટલે જ તેમનો દીકરો બહાર રખડે છે અને મોડો આવે છે. 

તે દિવસથી મેં મારા દીકરાને જે ખર્ચ માટે 100-200 રૂપિયા આપતો હતો એ બંધ કરી દીધું, કારણ કે આ ગાંજો ઘણી જગ્યાએ 50 રૂપિયામાં જ મળી રહે છે. દીકરો બહુ કકળાટ કરે તો તેને 20 રૂપિયા જ આપતો હતો, કારણ કે મને ખબર છે કે 20 રૂપિયામાં એને કશું મળવાનું નથી. જોકે 6 મહિનાથી તેમનો પુત્ર નશો ન કરતો હોવાનું તેમણે જણાવ્યું.

રાજકોટમાં વિદ્યાર્થીના હાથ પેનને બદલે પકડાવ્યા ઝાડૂ

રાજકોટ: શાળામાં વિદ્યાર્થીઓ પાસે શ્રમકાર્ય કરાવવાના અનેક બનાવો સામે આવતા રહે છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે બગીચાવી સફાઈથી લઈને માટી ખોદકામ સહિતના કામો કરાવાય છે. આ અંગેના વિડિયો અનેક વખત સામે આવ્યા છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી. હવે આવી જ ઘટના સામે આવી છે રાજકોટની શાળા નંબર 81મા. હાલમાં શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 81નો વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વિદ્યાર્થીઓને સ્કૂલમાં જોખમી છજા પર ચડાવી વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓ પાસે જોખમી રીતે સાફ સફાઈનો વિડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિદ્યાર્થીઓના જીવના જોખમે સફાઈ કરાવતો વિડીયો સામે આવ્યા બાદ લોકો પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

નવસારીની શાળાએ શિક્ષકની ભરતી માટે આપ્યો અનોખો ટાસ્ક

નવસારી: સારી નોકરી મેળવવી એ આજે કઠણ કામ બની ગયું છે. જેમાં પણ સારા શિક્ષકોની પસંદગી કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અનેક પ્રયોગો કરતા હોય છે ત્યારે નવસારીની એક સેમી ગવર્મેન્ટ શાળાએ શ્રેષ્ઠ શિક્ષક લેવા માટે અનોખી જાહેરાત થકી પસંદગી કરવામાં આવી છે.

શિક્ષકની પસંદગી કરવા માટે એક અનોખી જાહેરાત

આજના સમયમાં સારી નોકરી મેળવવીએ ભગવાનને મળવાથી ઓછું નથી. ઘણા લોકો અનેક પ્રયાસો થકી પણ સારી નોકરી મેળવી શકતા નથી. આ જ કારણ છે કે જો ત્યાં 2-4 પોસ્ટ પણ ખાલી હોય તો હજારો લોકો ત્યાં પહોંચી જાય છે. પરંતુ નવસારીની એક સેમી ગવર્મેન્ટ શાળાએ પોતાના વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવા માટે એક અનોખી જાહેરાત સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી હતી. 

ગણિતનું ઇક્વેશન સોલ્વ કરવા કહેવામાં આવ્યું

આ ઈક્વેશન થકી જે પણ ઉમેદવાર એને ઉકેલી શકે એ જ ઉમેદવારને નોકરીના ઇન્ટરવ્યૂ માટે પસંદગી કરવામાં આવી છે. આ ગણિતનું ઇક્વેશન શાળાના જ એક શિક્ષકે તૈયાર કર્યું છે. જેને ઉકેલવા પર એક મોબાઈલ નંબર જવાબ તરીકે આવે છે અને એના પર સંપર્ક કર્યા બાદ શાળા સંચાલકો દ્વારા એમને શાળાએ બોલાવવામાં આવ્યા હતાં. આં આ ગણિતના equation ને તૈયાર કરવામાં એકથી દોઢ કલાકનો સમય શિક્ષકને લાગ્યો હતો અને બારસોથી વધુ ઉમેદવારોએ આ ગણિતનું ઇક્વેશન સોલ્વ કરવામાં આવ્યું હતું.

અનેક ઉદ્યોગપતિઓએ વખાણ કર્યા

આ ઇક્વેશનને તૈયાર કરવામાં સામાન્ય ગણિતના થિયરમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેને પહેલા તૈયાર કરનાર શિક્ષક અને એની દીકરીએ પહેલા ઉકેલ્યું હતું. ત્યાર બાદ શિક્ષકની પસંદગી માટે આ ઇક્વેશન જાહેરાત તરીકે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યું હતું. આ ઇક્વેશન એટલું બધું પ્રસિદ્ધ થઈ ગયું જેને દેશના અનેક ઉદ્યોગપતિઓએ પણ શેર કરી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર મૂકી અને વખાણ કર્યા હતા. ત્યારે આ equation ને સૌ પ્રથમ અને સૌથી ઉકેલનાર શિક્ષકને હાલ ભક્તાશ્રમમાં શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ માટે નિમણૂક કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવા માટેના આ શાળાનો નવતર પ્રયોગ રંગ લાગ્યો છે. આ પ્રયોગ થકી શ્રેષ્ઠ શિક્ષક વિદ્યાર્થીઓ માટે નિમણૂક કરાય એવા પ્રયાસો શાળા દ્વારા દર વર્ષે જુદા જુદા વિષયોમાં કરવામાં આવશે, જેથી દરેક વિષયના શ્રેષ્ઠ શિક્ષક વિદ્યાર્થીઓને મળી શકે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Embed widget