![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
અમદાવાદ: આજે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનની શરુઆત થઈ ગઈ છે. તો બીજી તરફ રાજ્યમાં બીજેપી ઉમેદવાર રુપાલા સામે ક્ષત્રિયોનો રોષ યથાવત છે. આજે અમદાવાદ ખાતે રાજપૂત સંસ્થાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
![Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો Rajput samaj Coordination Committee press conference Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/19/c533d1e51ee68f12985fb96bd3d151891713534005960397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: આજે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનની શરુઆત થઈ ગઈ છે. તો બીજી તરફ રાજ્યમાં બીજેપી ઉમેદવાર રુપાલા સામે ક્ષત્રિયોનો રોષ યથાવત છે. આજે અમદાવાદ ખાતે રાજપૂત સંસ્થાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ 2 કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. જે બાદ સંકલન સમિતિની પ્રેસ કોંન્ફરન્સ યોજાઈ હતી.
આ અંગે ક્ષત્રિય આગેવાનોએ કેટલીક મહત્વની જાહેરાત કરી છે. તેમણે રહ્યું કે, ઉમેદવારો નક્કી થયા બાદ આગળની રણનીતિ મુદ્દે ચર્ચા કરી છે. 90 મુખ્ય સંસ્થાઓની સાથે પેટા સંસ્થાના પ્રતિનિધિઓ આજે હાજર રહ્યા હતા. રમજુભા, કરણસિંહ ચાવડા,તૃપ્તી બા સહિતના આગેવાનો આ પ્રેસમાં હાજર રહ્યા હતા. રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે.
કરણસિંહ ચાવડાએ આગળની રણનીતિ જણાવી
શાસક પક્ષને અપાયેલ અલ્ટીમેટમનો સમય પૂર્ણ થયો છે. અલ્ટીમેટમ મુજબ રૂપાલાની ઉમેદવારી પાછી ન ખેંચાઈ. આજથી રાજપૂત સમાજ ઓપરેશન ભાજપ શરૂ કરશે. 120 સંસ્થાના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા છે. કાલથી તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે. આવતીકાલથી રોજ એક જિલ્લામાં ક્ષત્રિય મહિલા પ્રતિક ઉપવાસ કરશે. મતદાનના દિવસ સુધી ક્રમશઃ ક્ષત્રિય મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે.
રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય મહિલાઓ ઉપવાસ આંદોલન કરશે. રોજ એક જિલ્લામાં પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. કાળા વાવટા મુદ્દે જાહેર કરાયેલા પરિપત્રનો વિરોધ કરીશું. અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામાનો વિરોધ કરીએ છીએ. કેસરિયો ધ્વઝ રાખી યુવાનો વિરોધ કરશે. ભાજપના પ્રતિનિધિઓના પ્રચારનો વિરોધ કરીશું. ક્ષત્રિયો પાંચ ઝોનમાં પાંચ ધર્મરથ કાઢશે.
કચ્છમાં આશાપુરા મંદિરથી રથ નીકળશે. જિલ્લા સમિતિઓ ધર્મરથનું આયોજન કરશે. વિરોધ માટે યુવાનોની કમિટિ બનાવાશે.
ક્ષત્રિય સમાજે આપ્યું નવું સૂત્ર, મત એ જ શસ્ત્ર
ક્ષત્રિય સમાજે તમામ બેઠકો પર વિરોધ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ બેઠક પર વિરોધ કરવા માટે ખાસ કમિટી બનાવી છે. રૂપાલાને હરાવવાનો ક્ષત્રિય સમાજે દાવો કર્યો છે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજે નવું સૂત્ર આપ્યું છે. મત એ જ શસ્ત્ર. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા પર ક્ષત્રિય સમાજ વધુ આક્રમક રીતે કાર્યક્રમો આપશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેંદ્રનગરમાં પરિણામલક્ષી વિરોધની જાહેરાત કરવામાં આવી છે. લોકશાહીના ઢબે શાંતિથી વિરોધ કરાશે. બોયકોટ ભાજપ, મત એ જ શસ્ત્રનો નારો આપવામાં આવ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)