શોધખોળ કરો
Advertisement
રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત, યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ
ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી દવે કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી દવે કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની જાણે તેમણે ટ્વીટ કરીને કરી હતી.
વિભાવરીબેન દવેએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી મારા સંપર્કમાં આવેલા તમામ લોકો સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા મારી અપીલ છે. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદથી હાલ મારી તબિયત સ્વસ્થ છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના પગલે સરકાર પણ ચિંતામાં મુકાઇ છે. બીજી તરફ સરકાર ખાસ કરીને સંગઠન દ્વારા જાહેર તાયફાઓ બંધ કરવા દેવા માટે આદેશ અપાઇ ચુક્યા છે. તેવામાં મંત્રીઓ પણ એક પછી એક કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ કોરોના સંક્રમિત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ચૂંટણી
ચૂંટણી
સુરત
Advertisement
for smartphones
and tablets
and tablets