શોધખોળ કરો

અમિત શાહે ગાંધીનગર-અમદાવાદને જોડતા ક્યા બે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું ? ક્યા બે નવા ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું ?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિકાસ દિવસ નિમિત્તે રૂપિયા 70 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગાંધીનગર અમદાવાદને જોડતા બે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિકાસ દિવસ નિમિત્તે રૂપિયા 70 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગાંધીનગર અમદાવાદને જોડતા બે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત  રક્ષા શક્તિ અને એપોલો સર્કલ પર રૂપિયા 241 કરોડના ખર્ચે બનનાનાર બે ઓવરબ્રિજનુ ખાતમુર્હુત પણ કરાયુ હતું. આ બે ઓવરબ્રિજના કારણે લોકોને ભારે રાહત થશે.

 ગાંધીનગર અમદાવાદને જોડતા સરખેજ હાઇવે પર બે ઓવર બ્રિજ નિર્માણ કરાયું હતું. આ પૈકી  સરગાસણ તેમજ ઇન્ફોસિટી ફ્લાય ઓવર બ્રિજ રૂપિયા 70 કરોડના ખર્ચે તૈયાર થઈ ગયા હતા. આ બંને ઓવરબ્રિજનું વિકાસ દિવસ નિમિત્તે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીની વર્ચ્યુઅલ હાજરી વચ્ચે લોકાર્પણ કરાયું હતું.

ગાંધીનગરથી અમદાવાદને જોડતા માર્ગ પર આ ઉપરાંત વધુ 2 ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ પૈકી એપોલો સર્કલ અને રક્ષાશક્તિ સર્કલ ખાતે ઓવર બ્રિજ બનાવીને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરાશે. વાહનચાલકોને પડતી ટ્રાફિકની સમસ્યાનું  નિરાકરણ આવતાં લોકોને રાહત થશે.  આ બંને ઓવરબ્રિજ રૂપિયા 241 કરોડના ખર્ચે બનાવવાના હોવાથી તેનું ભૂમિપૂજન પણ શનિવારે કરાયું હતું. આ ભૂમિપૂજન પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીની વર્ચ્યુઅલ હાજરીમાં કરાયું હતું.

ગાંધીનગર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-147 સરખેજ-ગાંધીનગર હાઇવે પર સરગાસણ જંક્શન પર ખ-0 પાસે  ફ્લાયઓવર બનાવાયો છે તેની પાછળ કુલ ખર્ચ રૂપિયા 35 કરોડ થયો હતો. તેની કુલ લંબાઇ 1117 મીટર અને તેનાનપર 35 મીટરના સાત ગાળા છે. આ  6 માર્ગીય એટલે કે 28 મીટર (13.5 મીટર બન્ને તરફ) પહોળા સર્વિસ રોડની લંબાઇ 1195 મીટર (બન્ને તરફ) અને 7 મીટર પહોળાઇ છે.

આ ઉપરાંત ઘ-0 (ઇન્ફોસીટી) ફ્લાયઓવર  રાષ્ટ્રીય ધોરીમાર્ગ-147 સરખેજ-ગાંધીનગર હાઇવે પર ઇન્ફોસીટી (ઘ-0) જંક્શન પાસે બન્યો છે. તેની પાછળ પણ કુલ ખર્ચ રૂ. 35 કરોડ થયો ચે અને  કુલ લંબાઇ પણ 1172 મીટર છે. 

કેન્દ્રીય મંત્રીની ધાનેરા હાઇવે બાબતે મોટી જાહેરાત કરી છે. 500 કરોડના ખર્ચે ધાનેરાથી ડીસાનો 34 kmનો રસ્તો બનશે. ધાનેરાને કેન્દ્ર સરકાર તરફથી રસ્તાની વધુ એક ભેટ મળી છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ નવા રસ્તા બાબતે જાહેરાત કરી છે. સતત મુશ્કેલી વેઠતા વાહનચાલકો અને સ્થાનિકો નવીન રસ્તાનો લાભ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
જૈસલમેર જવું હવે મોંઘું પડશે! 22 વર્ષ પછી ફરી લાગ્યો આ 'ટેક્સ'; સિટીમાં એન્ટ્રી માટે ચૂકવવા પડશે પૈસા
જૈસલમેર જવું હવે મોંઘું પડશે! 22 વર્ષ પછી ફરી લાગ્યો આ 'ટેક્સ'; સિટીમાં એન્ટ્રી માટે ચૂકવવા પડશે પૈસા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારૂ મુદ્દે ઘર્ષણ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયાઓનું પાંજરું !
Hun To Bolish : હું તો બોલીશ : સમાજની શક્તિ, લાવશે નવી ક્રાંતિ !
Alpesh Thakor : ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર કરશે શક્તિ પ્રદર્શન, ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન
Ambalal Patel Forecast : ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી! અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
જૈસલમેર જવું હવે મોંઘું પડશે! 22 વર્ષ પછી ફરી લાગ્યો આ 'ટેક્સ'; સિટીમાં એન્ટ્રી માટે ચૂકવવા પડશે પૈસા
જૈસલમેર જવું હવે મોંઘું પડશે! 22 વર્ષ પછી ફરી લાગ્યો આ 'ટેક્સ'; સિટીમાં એન્ટ્રી માટે ચૂકવવા પડશે પૈસા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
IND vs PAK: 'ઓપરેશન સિંદૂર' બાદ તણાવ! શું હવે ભારત-પાકિસ્તાન મેચ રમાશે? રાજીવ શુક્લાએ કરી મોટી સ્પષ્ટતા
IND vs PAK: 'ઓપરેશન સિંદૂર' બાદ તણાવ! શું હવે ભારત-પાકિસ્તાન મેચ રમાશે? રાજીવ શુક્લાએ કરી મોટી સ્પષ્ટતા
શાહરૂખ ખાનની સૌથી ચર્ચિત ફિલ્મ
શાહરૂખ ખાનની સૌથી ચર્ચિત ફિલ્મ "King" ની રિલીઝ ડેટ જાહેર, ફેન્સમાં ખુશીની લહેર
Gujarat Weather: 27 જાન્યુઆરીથી હવામાન બગડશે! ઠંડી બાદ હવે માવઠાનો માર ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Weather: 27 જાન્યુઆરીથી હવામાન બગડશે! ઠંડી બાદ હવે માવઠાનો માર ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Embed widget