શોધખોળ કરો

અંતે નેહરાની બદલી, જાણો કઈ જગાએ મૂકી દેવાયા ? કોણ બન્યા અમદાવાદના કમિશ્નર ? ક્યાં મહિલા અધિકારીની પણ થઈ બદલી ?

વિજય નેહરાની ગુજરાત સરકારે બદલી કરીને ગ્રામ વિકાસ કમિશનર અને ગ્રામ વિકાસ વિભાગના સચિવનો સંયુક્ત હવાલો સોંપાયો છે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે અંતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી કરી નાંખી છે. તેમના સ્થાને મુકેશ કુમારને અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશ્નર બનાવાયા છે. ગુજરાત સરકારે કુલ ત્રણ આઈએએસ અધિકારીની બદલી કરી છે. વિજય નહેરા અને મુકેશ કુમાર ઉપરાંત અવંતિકાસિંઘ ઓલખની પણ બદલી કરાઈ છે. અમદાવાદમાં કોરોના સામેની કામગીરીના કારણે સરકાર સાથે સંઘર્ષમાં આવેલા 2001 બેચના સનદી અધિકારી વિજય નેહરાની ગુજરાત સરકારે બદલી કરીને ગ્રામ વિકાસ કમિશનર અને ગ્રામ વિકાસ વિભાગના સચિવનો સંયુક્ત હવાલો સોંપાયો છે. તેમના સ્થાને હાલ અમદાવાદના પ્રભારી કમિશ્નર અને 1996 બેચના આઇએએસ મુકેશ કુમારને અમદાવાદના કમિશ્નર તરીકે મૂકાયા છે. ગુજરાતના સૌથી મોટા શહેરના કમિશનર પદેથી હટાવીને નેહરાને સામાન્ય વિભાગમાં મૂકાયા એ સજાનો સંકેત હોવાનું મનાય છે. સરકાર સાથે સંઘર્ષ પછી નેહરાએ પોતે કોઇ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાની જાહેરાત કરીને ક્વોરન્ટાઇન થઇ ગયા હતા. તેમના સ્થાને તેમના પુરોગામી અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન મુકેશ કુમારને પ્રભારી કમિશનર તરીકે મુકાયા હતા. રાજ્ય સરકારે અમદાવાદમાં કેસ વધતાં હોવાથી વરિષ્ઠ અધિકારી રાજીવ કુમાર ગુપ્તાને સ્થિતિ સંભાળવા નિયુક્ત કર્યા હતા. નેહરાએ થોડા દિવસ પહેલાં જ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને થોડા દિવસમાં જ તેઓ સેવામાં પરત ફરશે. નેહરા ફરી હાજર થાય તે પૂર્વે જ સરકારે તેમની બદલી કરી નાંખી છે. મુકેશકુમારને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે રેગ્યુલર પોસ્ટીંગ આપવામાં આવતા તેમની હાલની જગ્યા વાઇસ ચેરમેન અને સીઇઓ, ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં અવંતિકાસિંઘ ઓલખને મૂકવામાં આવ્યા છે. અવંતિકાસિંઘ તાજેતરમાં જ વિદેશમાં લાંબા સમયની તાલીમ પૂર્ણ કરીને પરત ફર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Embed widget