શોધખોળ કરો

અંતે નેહરાની બદલી, જાણો કઈ જગાએ મૂકી દેવાયા ? કોણ બન્યા અમદાવાદના કમિશ્નર ? ક્યાં મહિલા અધિકારીની પણ થઈ બદલી ?

વિજય નેહરાની ગુજરાત સરકારે બદલી કરીને ગ્રામ વિકાસ કમિશનર અને ગ્રામ વિકાસ વિભાગના સચિવનો સંયુક્ત હવાલો સોંપાયો છે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે અંતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી કરી નાંખી છે. તેમના સ્થાને મુકેશ કુમારને અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશ્નર બનાવાયા છે. ગુજરાત સરકારે કુલ ત્રણ આઈએએસ અધિકારીની બદલી કરી છે. વિજય નહેરા અને મુકેશ કુમાર ઉપરાંત અવંતિકાસિંઘ ઓલખની પણ બદલી કરાઈ છે. અમદાવાદમાં કોરોના સામેની કામગીરીના કારણે સરકાર સાથે સંઘર્ષમાં આવેલા 2001 બેચના સનદી અધિકારી વિજય નેહરાની ગુજરાત સરકારે બદલી કરીને ગ્રામ વિકાસ કમિશનર અને ગ્રામ વિકાસ વિભાગના સચિવનો સંયુક્ત હવાલો સોંપાયો છે. તેમના સ્થાને હાલ અમદાવાદના પ્રભારી કમિશ્નર અને 1996 બેચના આઇએએસ મુકેશ કુમારને અમદાવાદના કમિશ્નર તરીકે મૂકાયા છે. ગુજરાતના સૌથી મોટા શહેરના કમિશનર પદેથી હટાવીને નેહરાને સામાન્ય વિભાગમાં મૂકાયા એ સજાનો સંકેત હોવાનું મનાય છે. સરકાર સાથે સંઘર્ષ પછી નેહરાએ પોતે કોઇ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાની જાહેરાત કરીને ક્વોરન્ટાઇન થઇ ગયા હતા. તેમના સ્થાને તેમના પુરોગામી અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન મુકેશ કુમારને પ્રભારી કમિશનર તરીકે મુકાયા હતા. રાજ્ય સરકારે અમદાવાદમાં કેસ વધતાં હોવાથી વરિષ્ઠ અધિકારી રાજીવ કુમાર ગુપ્તાને સ્થિતિ સંભાળવા નિયુક્ત કર્યા હતા. નેહરાએ થોડા દિવસ પહેલાં જ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને થોડા દિવસમાં જ તેઓ સેવામાં પરત ફરશે. નેહરા ફરી હાજર થાય તે પૂર્વે જ સરકારે તેમની બદલી કરી નાંખી છે. મુકેશકુમારને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે રેગ્યુલર પોસ્ટીંગ આપવામાં આવતા તેમની હાલની જગ્યા વાઇસ ચેરમેન અને સીઇઓ, ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં અવંતિકાસિંઘ ઓલખને મૂકવામાં આવ્યા છે. અવંતિકાસિંઘ તાજેતરમાં જ વિદેશમાં લાંબા સમયની તાલીમ પૂર્ણ કરીને પરત ફર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Embed widget