શોધખોળ કરો
વતન જવા માટે લોકોને કઈ-કઈ શરતોનું કરવું પડશે પાલન? ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની સરકારે મંજૂરી આપી દીધી છે. આ માટેનું પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને વતન જવા માંગતા લોકોએ મંજૂરી લેવાની રહેશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની સરકારે મંજૂરી આપી દીધી છે. આ માટેનું પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને વતન જવા માંગતા લોકોએ મંજૂરી લેવાની રહેશે. આજથી આ પોર્ટલ પર લોકોએ ઓનલાઇન અરજી કરવાની છે. તેમજ સાતમી માર્ચથી લોકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લક્ઝરી બસમાં મોકલવામાં આવશે. જોકે, આ માટે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.
વતન જવા કઈ કઈ શરતોનું કરવું પડશે પાલન?
ગુજરાત સરકારની પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જ્યાંથી મંજૂરી મળ્યાં બાદ પરમીશન મળશે. ત્યાર બાદ જેમને મંજૂરી મળશે તે તમામ લોકોને ફરજિયાત મેડિકલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. ત્યાર બાદ ચેક પોસ્ટ પર સહી-સિક્કા કર્યા બાદ પોતાના વતન મોકલાશે.
ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે લોકોએ મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું રહેશે. મહત્વની વાત છે કે, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ નહીં હોય તેમને જ વતન જવાની પરમીશન આપવામાં આવશે.
વતનમાં પણ ઘરે જતાં પહેલા આરોગ્ય તપાસ થશે. હોમ ક્વોરેન્ટાઇન કે ઈન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઈનમાં ફરજિયાત 14 દિવસ રહેવું પડશે. 45 દિવસ જે તે જગ્યાએ રહેવાનું રહેશે. આ પહેલા વતન છોડી શકાશે નહીં. કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં રહેતા ન હોય તેમને જ પરવાનગી આપવામાં આવશે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement