શોધખોળ કરો
કેજરીવાલે અધિકારીઓને આપી ચેતવણી- રમજાનમાં પાવર કટ સાંખી નહીં લેવાય, જુઓ વીડિયો

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારની રાત્રે સીલમપુર વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લીધી હતી અને બીએસઇએસ યમુનાના અધિકારીઓને ચેતવણી આપી હતી કે ઇફતાર અને શહરી દરમિયાન કોઇ પાવર કટ થવો જોઇએ નહીં. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે ઇફતારના સમયમા વિજળી કટ થાય છે તેવી ફરિયાદને પગલે મુખ્યમંત્રીએ આ પ્રવાસ કર્યો હતો અને વિભાગના અધિકારીઓને ચેતવણી આપી હતી. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઇ હતી અને હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Before You Go
Nepal Flash Flood: નેપાળમાં આવેલા પૂરમાં 18 ગુજરાતી લાપતા





















