![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Paper Leak: ગુજરાતમાં પેપર લીકથી વ્યથિત ભાજપનાં આ નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત
Paper Leak Update: ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટનાથી વ્યથિત થઈ ભાવનગર ભાજપ આઈટી સેલના સહ કન્વીનર યજ્ઞેશ ત્રિવેદીએ રાજીનામું આપ્યું છે.
![Paper Leak: ગુજરાતમાં પેપર લીકથી વ્યથિત ભાજપનાં આ નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત Bhavnagar BJP IT cell co convener resigns due to paper leak writers letter check details Paper Leak: ગુજરાતમાં પેપર લીકથી વ્યથિત ભાજપનાં આ નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/31/bae920151cb717d48c553737960195f5167514729313376_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Junior Clerk Paper Leak Case Update: ગુજરાતમાં ફરી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટયું અને ઉમેદવારોની આશા પર પાણી ફેરવાઈ ગયું છે. વડોદરાથી ગુજરાત ATSની ટીમે પેપર લીક મામલે સંડોવાયેલા 16 આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત, બિહાર અને ઓરિસ્સામાં પેપર લીક થવાનું કનેક્શન સામે આવ્યું છે.આ મામલે 15 આરોપીને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત ATSએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓ આગામી 10 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર રહેશે.
રાજીનામું આપી શું લખ્યું છે લેટરમાં
ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટનાથી વ્યથિત થઈ ભાવનગર ભાજપ આઈટી સેલના સહ કન્વીનર યજ્ઞેશ ત્રિવેદીએ રાજીનામું આપ્યું છે. તેમણે લખ્યું છે કે. ગુજરાતના લોકોનું હિત અને યુવાઓને ભારતીય જનતા પાર્ટીની લોકહિતલક્ષી વિચારધારા સમજાવી યુવાઓને હિન્દુત્વની અને વિશ્વની સૌથી લોકપ્રિય પાર્ટી ભાજપમાં અમે ત્રણ મહિના પહેલા જોડાયા હતા. જેના ભાગરૂપે અમોએ પ્રમાણિકતા અને વફાદારી સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક કાર્યકર હોદ્દેદાર તરીકે મને સોંપવામાં આવેલી કામગીરી કરી હતી. ઉપરાંત ભાવનગર પૂર્વની સીટ આજદિન સુધી ક્યારેય જીત ન મળી હોય તેવી જીત અપાવવામાં સહભાગી થયા હતા. પરંતુ અફસોસ સાથે અને દુખની લાગણી સાથે અને કઠણ મને આપને જણાવું છું કે આજથી જ મને સોંપવામાં આવેલી કામગીરી અને હોદ્દા પરતી રાજીનામું આપું છું અને અગાઉ જેમ હું એક સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરતો હતો તેમ યુવાઓનું હિત વિચારી આગામી સમયમાં આ પ્રકારનું કાર્ય કરતો રહીશ. લોકોને સમજાવીને જે ભારતીય જનતા પાર્ટીને 156 સીટ જીતાવી વિજયી બનાવી તે યુવાવર્ગ મટે સૌથી મોટી ભૂલ સાબિત થઈ છે. અગાઉ પણ વિવિધ સરકારી ઓફિસમાં થયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમોએ મુહિમ ઉપાડી હતી અને એક આરટીઆઈ કાર્યકર તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપી હતી તે જે દિશામાં અમો આ કામગીરી કરવા ઈચ્છુક છીએ. જેનું એકમાત્ર કારણ વિદ્યાર્થીઓ, ઉમેદવારોના ભાવિ જીવન અંગે થતા ચેડા અમો એક ભાજપના કાર્યકર તરીકે ઉઠાવી ન શકીએ પરંતુ એક નાગરિક તરીકે અને એક શિક્ષિત યુવા તરીકે અમો લોકહિત કરવાનો અને જ્યાં સુધી અમોને જાણકારી છે તે દરેક યોજના લોકો સુધી પહોંચે તે દિશામાં કાર્ય કરવાનો અને સરકારી સિસ્ટમમાં પોતાના પૈસાનાં જોરો અને વગના જોરે આવવા માગે છે તેની વિરુદ્ધ આજથી જ કાર્ય કરવા હું આપને મારું રાજીનામું સ્વીકારી મુક્ત કરશો તેવી વિનંતી કરું છું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)